________________
૩૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કે તમે રહેશો તો તમે હકદાર છો. તમે બે જુદા રહેતા હોય તો એ ત્યાં રહેવા જાય, તમે અહીં રહો તો વાંધો નહીં. એથી એમના મનમાં એમ થયું હશે કે હું તો હકદાર જ છું. પણ હવે એ મેં ખાનગી રાખ્યું છે. મેં કહ્યુંને કે આપણે ખાનગી રાખીને આમને વધારે આપી દેવાના. બહુ સારો માણસ, ઊલટી સેવા કરે હીરાબાની. આવું બોલે તોય સેવા કરે.
ઘરધણીતા હકનું નુકસાન ન થવું જોઈએ પ્રશ્નકર્તા : દાદા, એ તો ઘરધણીના ધનભાગ્યને, તે હીરાબા ત્યાં રહે છે.
દાદાશ્રી : હા, એ તો હવે... પ્રશ્નકર્તા ઃ એ કોને કહી શકે એ ?
દાદાશ્રી : હા, એ તો એટલી બધી એને કિંમત સમજાય નહીં ને ! એ જાણે કે આ ઊંચા પુરુષ છે, ધર્મિષ્ઠ પુરુષ છે. પણ એટલું બધું જાણે નહીં ને ! એ તો થોડું ઘણું સમજાય તો ખરું જ. પણ હવે એના હકને નુકસાન શા માટે કરીએ આપણે ? આપણી પાસે ના હોય તો એને કહીએ કે ‘ભાઈ, હવે મારી પાસે તો પહોંચી વળાય એવું નથી. માટે એ ભાડામાં ચલાવી લેજે.” પણ આપણી પાસે હોય તો શા માટે ? એને એવું નહીં. એને બિચારાને શો દોષ છે ? એ તો એણે મને કાગળ લખી મોકલ્યો કે ઘરમાં વધારે માણસ હોય તો અમારે મુશ્કેલી અને આ તો ઘર જેવા માણસ, મારી છોડીઓ સચવાય, બધું સચવાય.” એટલે એને કંઈક આપી દઈશું વધારે અને પેલું કોઠીનું ઘર પડી રહ્યું છે ત્યાં આગળ, હવે એ આ લોકો વાપરશે. એ તો આ કોના હારુ બંધાવ્યું છે ને કોના હાર એ જગ્યા રાખી છે, તે જ મને ખબર નથી પડતી. ૧૯૪૨ની સાલમાં રાખેલી એ જગ્યા, સાડા છે હજાર રૂપિયા આપીને. ત્યાર પછી શરૂઆતમાં તો કેટલાય લોકો એમ ને એમ પેસી ગયા હતા, તે એમને પૈસા આપી કાઢ કાઢ કર્યા. એક બાજુ કાઢ કાઢ કરે ને એક બાજુ પેસી જાય. કોણ સાચવવા રાખીએ ? એટલે આવું, આ તો બધું હું તો જોવાય નહોતો જતો. આજેય લોકો