________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
उ८७
દાદાશ્રી : આ તો મહીં પરમાણુ ભરેલા ને, એટલે રડી પડે ઢીલા મનના. છતાં લૌકિકમાં રડવું તો જોઈએ જ માણસે. જો રડવું ના આવે તો મહીં ડૂમો ભરાય. જેને ના આવતું હોય ને જ્ઞાની હોય તો ચાલે, નહીં તો ડૂમો ભરાય.
પ્રશ્નકર્તા: એટલે વ્યવહારમાં જે કોઈ રડતો હોય તો તેને રડવા દેવો, એને ડૂમો નીકળી જાય. પ્રકૃતિ જે છે તેને વેન્ટિલેશન (દુ:ખ નીકળવાની જગ્યા) જોઈએ ને ?
દાદાશ્રી : હં, પ્રકૃતિને વેન્ટિલેશન જોઈએ, ખરું કહે છે. નહીં તો સફીકેશન (ગૂંગળામણ) થઈ જાય અંદર.
આ તો બધું લૌકિક છે. એમાં સાચા માણસ રડી ઊઠે બિચારા. અને તે રડવું આવવું જોઈએ માણસને. કારણ કે એ મમતાનું પરિણામ છે. રડવું ના આવે તો મહીં ગભરામણ થઈ જાય. એ પરમાણુ નીકળી જ જવા જોઈએ. જેટલી એની જોડે મમતા છે ને, એટલા પરમાણુ નીકળી જ જવા જોઈએ.
પૈણતી વખતે આવેલો વિચાર ખરો પડ્યો.
અમને તો પૈણતી વખતે વિચાર આવેલો આવો, કે “આ પૈણીએ છીએ ખરા, પણ બેમાંથી એક જણે રાંડવું પડશે !' તે કાલે છતું થયું. કાલે એ બન્યું એ જોયું ને ! હવે કો'ક પૂછે કે ‘દાદા ?” ત્યારે કહે, રાંડેલા જ છે, કંઈ માંડેલા ઓછા કહેવાય ?” હીરાબા બેઠા હતા ત્યાં સુધી માંડલા અને ગયા એટલે રાંડેલા. પછી એ સાહિત્યકારો ખોળી કાઢે, વિધુર ને બિધુર એ બધા શબ્દો. પણ દેશી ભાષા એ સાચી, રાંડવું ને માંડવું. આ ગામઠી ભાષા મોક્ષે લઈ જાય. રાંડવા-માંડવાનું જ્ઞાન હોય તો મોક્ષે જાય બળ્યો. “આ વિધુર આવ્યા.” એનો શું અર્થ ? રાડેલા કે માંડેલા ? ત્યારે કહે, “ભઈ, માંડેલા છીએ. અને કોઈ રાંડેલા હોય તો રાડેલાય કહે.” શેના આધીન રડેલા ને માંડેલા, તે બધું સમજી જવાનું તારે. આ માંડ્યો સંસાર, તે માંડેલો કહેવાય અને સંસારનું પૈડું તૂટ્યું કે રાંડ્યો. ગાડાનું એક પૈડું તૂટ્યું એટલે પછી રખડ્યું. એક પૈડું તૂટ્યું