________________ [22] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ 389 પ્રશ્નકર્તા: કાયમનાની. દાદાશ્રી : હે. બળવાની વસ્તુ બળી ગઈ, ન બાળવાની રહી ગઈ. કાયમના છે તે તો ગયા જ નથી ને ! એ તો અમારી સાથે જ છે. વ્યવહારથી કહેવાય કે એ ગયા. અમને તો હીરાબા એવા ને એવા જ લાગ્યા કરે હજુય. જેવા હતા તેવા ને તેવા લાગ્યા કરે. વ્યવહાર કહે, ‘લ્યો, તો તમે કહો છો એવા ને એવા તો દેખાડો જોઈએ.” મેં કહ્યું, ભઈ, એ તને નહીં દેખાય, એ મને દેખાય.” જ્ઞાત દષ્ટિએ કોઈ મરતું કે જીવતું છે જ નહીં આ જીવતા જ છીએ આપણે. મરવાના જ નહોતા. પણ આ તો હવે ખબર પડી ને ? પહેલા ખબર નહોતી ને ! હવે તો આપણે જાણીએ છીએ કે આપણે મરવાના નથી, મરવાના તો આ ભાગ છે. જગત એમ જાણે કે મરી ગયા. જેવી દૃષ્ટિ છે ને એવું દેખાય. જે પોતાને મરી ગયો એમ જાણતો હોય, એ બીજાને મરી ગયેલા જ જાણે. જ્ઞાનીની દૃષ્ટિએ સમજદાર હોય એ કાઢી નાખે વિષાદ બધો અને સમજદાર ના હોય તો રહેવા દે. દુનિયાની દૃષ્ટિએ સમજદાર હોય એ વિષાદ રહેવા દે અને દુનિયાની દૃષ્ટિએ સમજદાર ના હોય એ વિષાદ કાઢી નાખે. આ બે દૃષ્ટિઓ છે. કોઈ પણ વસ્તુ દુનિયામાં બને એમાં, “આ શું છે ?" એવું અમને જોડે જોડે પાછું બીજું બને અમારું. આ તો વ્યવહારનું બન્યું, પણ નિશ્ચયનું બની જાય ત્યારે અમારે, કે “ખરેખર આમ છે.” એની મેળે જ બની જાય, સ્વભાવિક જ. આ તો કોઈ પણ માણસ મરે તે મને અસર થતી નથી. કારણ મરતું-જીવતું મારા જ્ઞાનમાં નથી હોતું. ના સમજ્યા ? લોકોના જ્ઞાનમાં હોય, પણ મારા જ્ઞાનમાં એ મરતું-જીવતું નથી. છતાં લોકો પૂછે ત્યારે હું કહું, ‘હા, ભઈ મરી ગયા બા. બહુ ખોટું થયું.” હું તો બોલું વ્યવહારમાં. વ્યવહારમાં અવિનય ન રહું. વિનયપૂર્વક બોલું, કે