Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 447
________________ ૩૮૮ જ્ઞાની પુરુષ (ભાગ-૨) એટલે તો આખું ગાડું ગયું નકામું. પેલા ગાડામાં તો ભઈ, બીજું પૈડું ઘાલે પણ આમાં શું કરે ? અને “આપણે” પૈણ્યા નહોતા, તે પછી “આપણે ક્યાં રાંડવાનું ? દેહને રાંડવાનું, પણ્યો હોય તે. “આપણે” ક્યાં ફેંટા ઘાલ્યા'તા ને બધું પહેર્યું'તું ? સંયોગનો અંતે વિયોગ થયો આ તો છૂટા પડ્યા છે અહીંથી. હું અમેરિકા જઉ એવી રીતે આ ગયા છે. ૧૯૨૩માં પૈણ્યા'તા ને ૧૯૮૬માં છૂટા પડ્યા. જુઓ સંયોગ વિયોગી સ્વભાવનો ને ! અને તે મને તો લગ્નના માંડવામાં જ વિચાર આવ્યો હતો કે બેમાંથી એક જણ રાંડશે ! પોતે સંયોગી તો ચાલ્યા ગયા છે. આ તો બધું સંયોગ સંબંધ છે ને ! કોઈ દસ વર્ષ રહે, કોઈ વીસ વર્ષ, કોઈ પાંચ મિનિટ રહે, કોઈ દસ મિનિટ રહે. વિયોગ થયા જ કરે એની મેળે. એવા સંયોગ સંબંધ કેટલે સુધી પહોંચ્યા છે એ ખબર હતી. ઓગણીસમે વર્ષે અમારા ફાધરના સંયોગ પૂરા થઈ ગયા. વીસમે વર્ષે બ્રધરનો સંયોગ પૂરો થયો. પછી ઝવેરબાનો અડતાલીસમે વર્ષે અને હીરાબાનો છે તે ઈઠ્યોતેરમાં વર્ષે ૧૯૮૬માં સંયોગ પૂરો થયો. કાયમતા તો ક્યાંય ગયા જ નથી ને ? આમાં રડવા જેવી વાત જ ક્યાં છે ? આ તો મરેલા ક્યાં છે ? એ તો લોકોને લાગે કે હીરાબા ગયા. મૂળ વસ્તુ તો છે જ ને ! પ્રશ્નકર્તા : છે જ. દાદાશ્રી : કાયમના છે ને ? પ્રશ્નકર્તા : કાયમના. દાદાશ્રી : વિધિ કાયમનાની કરતો'તો કે હીરાબાની કરતો'તો ?

Loading...

Page Navigation
1 ... 445 446 447 448