________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
૩૫૯
કહેતા'તા મને વારેઘડીએ, કે “તમે છો ને મારે જવાય તો સારું.” મેં કહ્યું, “એવું કરશો નહીં. આપણે ભાંજગડ, ઉતાવળ શું કરવાની ? તે
ત્યાં શું દાઢ્યું છે ત્યાં ? ત્યાં કંઈ મોટી મોટી કેન્ટીનો છે ? અહીં તો બટાટા પૌંઆ આપે.”
સાહજિક વાણી પ્રશ્નકર્તા : દાદા, પૂછી લીધું આણે બધું. કે આપણે રેગ્યુલર કોલમ માટે કામ લાગે.
દાદાશ્રી : હીરાબાને કલાક સુધી પૂછીને લખે છે બધું. એ તો કેવું હીરાબાની પાસે મન મેળવીને, એમની પાસે વાત કરાવીને એ સાહેબ કલાક-કલાક એમની જોડે બેસે.
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. પણ દાદા, હીરાબાની વાતો સાંભળવાની બહુ ગમે છે.
દાદાશ્રી : ગમે જ ને પણ, કારણ કે એ ચોખ્ખા છે ને ! એટલે સાહજિક વાણી છે, મહીં ગાંઠો નથી. એટલે બહાર પડશે ખરું જ્યારે-ત્યારે.
(પૂજ્ય નીરુમા સંપાદિત વાણીમાંથી..)
૧૯૮૩ના સંસ્મરણો. ૧૯૮૩ની એ વાત. હીરાબા પડી ગયા ને ડાબા હાથે ફ્રેક્ટર થઈ ગયું. એના સમાચાર અમદાવાદમાં દાદાશ્રીને ફોનથી મળ્યા. દસ મિનિટમાં સત્સંગમાં જવા તૈયારી કરતા હતા તેને બદલે દસ જ મિનિટમાં બધું પેકિંગ કરી વડોદરા બા પાસે જવા રવાના થયા ! પરમ પૂજ્ય દાદાને જોતા જ બાને એકદમ ઠંડક થઈ ગઈ. બાને ખૂબ જ દર્દ થતું રાત્રે પણ, તેઓ ખાઈ નહોતા શકતા. કણસતા છતાં ક્યારેય તેમણે કોઈ ફરિયાદ નથી કરી.
એ દિવસોમાં (૧૯૮૩માં) સંપૂજ્ય દાદાશ્રી હીરાબાને દરરોજ સવાર-સાંજ વિધિ ને સાંનિધ્ય મળે તે માટે બાની સાથે જ રહ્યા હતા.