Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 434
________________ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ ૩૭૫ દાદાશ્રી : સ્મશાનમાં ના આવે તો લોકો જાણે “ફરી પૈણવાના છે.” આપણે ત્યાં એક કહેવત છે કે ત્રીસ-ચાલીસ વર્ષનો હોય ને, તો ફરી પૈણવાનો હોય તો સ્મશાનમાં જાય નહીં. એટલે સમજી જાય લોકો કે સ્મશાનમાં આવ્યા નથી એટલે ફરી પૈણશે. આવી કહેવત છે આપણે ત્યાં અને ખરેખર એમ જ, સ્મશાનમાં ગયો એટલે ફરી પૈણાય નહીં. આ જુઓ અમે ઉઘાડું આવીને કહી દીધું ને, “ભઈ, નથી પૈણવાના.” પ્રશ્નકર્તા : દાદા, આપે કાલે કીધું કે “અમે તો રાંડેલા કહેવાઈએ હવે.” દાદાશ્રી : હા, શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું'તું, નિર્દોષ ગમ્મત કરાવજો.” જુઓ, આ બધી નિર્દોષ ગમ્મત ! કોઈને કિંચિત્માત્ર દુઃખ થાય નહીં. દુઃખ અમને અડે જ નહીં પ્રશ્નકર્તા હીરાબા ગયા તે વખતે મહીં થોડુંક દુઃખ થયું હતું? દાદાશ્રી : ના, અમે વીતરાગ જ છીએ ને ! અમને કોઈ જાતનો ક્લેશ-કંકાસ કશું થાય જ નહીં ને ! તમને હઉ વીતરાગ બનાવ્યા છે ને ! અમને કશું અડે નહીં. આ જગતમાં એવી કોઈ ચીજ નથી કે અમને અડે. અમને દુઃખ અડે નહીં પણ તમને દુઃખ અડે તોય અમે જોખમદાર ! તમે સાઠ હજાર માણસોને દુઃખ અડે તોય જોખમદારી અમારી ! દુઃખ અડે જ કેમ કરી ને ? આ દાદાનું વીતરાગ વિજ્ઞાન છે ! જ્યાં ચૌદ લોકનો, આખા બ્રહ્માંડનો નાથ પ્રગટ થયેલો છે, ત્યાં શેની ખામી રહે ? માગો એ મળે. અમને દુઃખ જો થતું હોય તો જ્ઞાની જ ના કહેવાઈએ. અમને કોઈ રીતે દુઃખ જ ના થાય. અમને દુઃખ અડે જ નહીં કોઈ દહાડો. પ્રશ્નકર્તા ઃ હા, આપ સર્વજ્ઞ છો, આપ જ્ઞાની છો એવું લખ્યું છે પણ સ્વાભાવિક રીતે દુઃખ તો થાય ને ? દાદાશ્રી : ગમે તે રીતે દુઃખ થાય જ નહીં, સ્વાભાવિક કે

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448