Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 437
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૨) એટલે મારી આંખમાંથીય પાણી નીકળે, કારણ કે અમારું હાર્ટ કૂણું હોય. તે પાણી કોને ના નીકળે ? જેનું હાર્ટ મજબૂત થયેલું હોય ને બુદ્ધિ પર લઈ ગયો હોય ત્યારે. અમારું હાર્ટ તો બહુ કૂણું હોય, બાળક રડે એવું રડે. પણ આ જ્ઞાન હાજર રહે ને ! જ્ઞાનને હાજર રાખવું પડે અમારે. એક સેકન્ડનો નાનામાં નાનો ભાગ જો ખસ્યા હોત તો તરત પાણી નીકળી જાય. જેની આંખમાં બહુ પાણી આવતું હોય, તેનાથી અમે છેટા બેસીએ. ૩૭૮ અને ત્યાં હાસ્ય અમારે બંધ કરવું પડે. જગત વ્યવહાર છે આ તો. અને કાચી બુદ્ધિવાળો તો કહે કે ‘જુઓ ને, હૃદય પથરા જેવું છે તે હસે છે હજુ તો.’ એને ટીકા કરવાની તક મળે. પછી અમારા મહાત્માઓની હાજરીમાં અમે હસીએ, પણ બીજાની હાજરીમાં ના થાય એવું. હવે રડવું એટલે શું કરવાનું કે ઉપયોગ છોડી દેવાનો. લોકોને જુએ એટલે આપણને રડવું આવે હડહડાટ. અમારો ઉપયોગ તો નિરંતર હોય. આ હીરાબા વખતે તો અમારો ઉપયોગ હતો ! એક સેકન્ડ પણ કંઈ પાણી હાલ્યું નથી, જેવો હતો તેવો. હીરાબાની ઈચ્છા નહોતી કે તમે રડજો. આ તો બોલે નહીં પણ મનમાં કહે કે ‘પથરા જેવા છે', એટલે રડવું પડે. પણ મને એવું કોઈ પથરા જેવો કહે નહીં. લોકોને પણ લાગે કે દાદા તિરંતર જ્ઞાતમાં જ અમે તો જ્ઞાની થઈ બેઠેલા એટલે લોકો હીરાબા મરી ગયા ત્યારે મારા સામું જુએ ને, કે દાદા કેટલા જ્ઞાનમાં છે ને કેટલા આમાં છે તે ! પણ એક ક્ષણવાર બીજું દેખી શકે નહીં, નિરંતર જ્ઞાન જ. પળે-પળે નહીં, સમયે-સમયે. સમયસારનું જ્ઞાન રહ્યું'તું. પ્રશ્નકર્તા : દાદા, આપ એમ કેમ બોલ્યા કે ‘જ્ઞાની થઈ બેઠા’ ? આપ તો જ્ઞાની જ છો. દાદાશ્રી : નહીં, પણ એ લોક... અજ્ઞાની માણસ તો એવું જ બોલે ને ! કહે, ‘જ્ઞાની થઈ બેઠેલા, જુઓ તો ખરા કેમનું પોલ ચાલે છે !'

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448