Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 435
________________ ૩૭૬ જ્ઞાની પુરુષ (ભાગ-૨) અસ્વાભાવિક, એનું નામ જ્ઞાની. આ શરીરમાં જ રહેતા નથી અમે. શરીરમાં રહે તો દુઃખ થાય ને ! તમને સમજ પડીને ? પ્રશ્નકર્તા ઃ જી હા. દાદાશ્રી : એટલે અમને દુ:ખ જ ના હોય. અમે રડીએ તોય દુઃખ ના હોય. આ અંબાલાલ રડે તોય દુઃખ ના હોય. એટલે બહુ જુદી જાતની છે આ દશા ! સમજાય છે ને ? પ્રશ્નકર્તા: હા, એ હકીકત હું સમજી શકું છું. દાદાશ્રી : હા. અને અમને એકલાને નહીં, આ બધાનેય દુઃખ ના થાય. આ બધાને એક દુઃખ થાય તો અમારી જવાબદારી છે. દુઃખ કેમ થવું જોઈએ માણસને ? શું ગુનો કર્યો છે તે માણસને દુઃખ થાય ? એટલે એને જો સ્ત્રીઓ મરી જાય તોય દુઃખ ના થાય. અમારે આઘાત કે દુઃખ હોય નહીં. ઊલટા તમારા જે દુઃખ હોય તે અમે લઈ લઈએ. રહ્યા-ગયામાં સમસ્થિતિ લોકો તો એમ જ જાણે ને કે દાદાને બહુ દુઃખ થયું હશે ! દાદાનો તાવ જુએ ત્યારે ખબર પડે કે હીરાબા ગયા કે રહ્યા છે એ બન્ને સ્થિતિ

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448