Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 436
________________ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ ૩૭૭ સરખી જ હોય. કેવી હોય ? રહ્યા હોય તોય સરખી, ગયા હોય તોય સરખી. બન્ને સ્થિતિ સરખી હોય. હજુ પેટમાં પાણી હાલ્યું નથી અમને. અહીંયા ઘરે આવીને જશભાઈએ વાત કરી, પણ પેટમાં પાણી હાલ્યું નથી. પણ વ્યવહારમાં અમે એમ કહીએ કે “ભઈ, મહીં થાય તો ખરું જ ને, બા.” તમને બધાને ના કહીએ, પણ વ્યવહારમાં, બહાર તો અમે કહીએ. એ કહે, “હીરાબા માટે તમને દુઃખ થાય ને ?” મેં કહ્યું, “હા, થાય તો ખરું ને બા, ના થાય એવું હોય ?” નહીં તો એને ગણતરી ઊંધી લાગે. કહે, “આ કઈ જાતની ગણતરી ? આવું શી રીતે બને ?” તમને સારું લાગે હું કહું તે, કે અમને અસર જ ના હોય કોઈ જાતની ? આ વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે અમને અસર કરે. જો તમારા જ દુઃખ મેં લઈ લીધા, તો મારી પાસે દુઃખ ક્યાંથી હોય ? છે દુઃખ કોઈ જાતનું ? થયું ત્યારે, દાદા મળ્યા ત્યારથી દુ:ખ નથી ને ? સ્થિરતા અમારી જાય નહીં પ્રશ્નકર્તા: હીરાબા ગયા ત્યારે તમે કઈ રીતે સ્થિરતા રાખેલી ? દાદાશ્રી : મારે તો ગયા ત્યારેય સ્થિરતા અને હોય તોય એની મહીં સ્થિરતા જ હોય. હું આ દેહમાં જ ના હોઉં ને ! દેહથી જુદો રહું છું હું. આ દેહનો છે તે સંબંધ એમને, મારે કોઈ જાતનો સંબંધ નહીં. સમજ પડીને ? એટલે હું જુદો રહું છું. પણ વ્યવહાર સુંદર, એમને હીરાબા' કહીને બોલાવતો હતો. અમારે સ્થિરતા જ હોય, મને ગાળો ભાંડે, માર મારે તોય સ્થિરતા જ હોય, ધોલો મારે તોય સ્થિરતા જ હોય. કોઈ દહાડો સ્થિરતા અમારી જાય નહીં. હીરાબાતા મરણ વખતેય ક્ષણે ક્ષણે જ્ઞાનમાં જ હીરાબાને કાઢી ગયા ત્યારે તો બહુ જણના મોઢા છે તે ઢીલા થઈ ગયેલા ! મહીં આંખમાં જરા જરા પાણી નીકળેલું હોય પણ મારામાં પાણી નીકળે તો એનું વધારે નીકળે ને ? નહીં તો હુ હુય થઈ જાય (ડૂસકા દેવાઈ જાય) પછી. હાર્ટ પૂરેપૂરું, બધા કરતા હાર્ટ સુંવાળું, પણ બિલકુલ બંધ.

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448