________________
૩૮૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
તોય એક સેકન્ડેય શરીરમાં નહીં, આઉટ ઑફ બોડી. તમે ત્યારે જોયું હતું ને ?
પ્રશ્નકર્તા : હા, હું હતો ને દાદા સાથે. મેં જોયું હતું. હું એ જ જોતો હતો.
દાદાશ્રી : પાસે હતો પાછો, એમાં પણ આ દેહાતીત દશા જોવા મળે ક્યાં ? આ દાદાના દર્શન થઈ જાય ને, તો કલ્યાણ થઈ જાય ! જો સાચા રૂપમાં દર્શન થાય ને, તો કલ્યાણ થઈ જાય !
પ્રશ્નકર્તા : જ્ઞાનીની દેહાતીત દશા હોય છે, એવું વાંચેલું બધું પણ દેહાતીત દશા કેવી હોય છે ? એ જોયેલી નહીં કોઈ દહાડો, ત્યારે એ જોવા મળી.
દાદાશ્રી : એ જોયેલી નહીં ? એ તે દહાડે તમે જોયેલી ને, એ દેહાતીત દશા !
અમને નિરંતર જ્ઞાત હાજર જ હોય તમે થોડું ઘણું જોયું'તું ?
પ્રશ્નકર્તા ઃ હા, દાદા. હું આખો વખત એ જ માર્ક કરતો'તો કે દાદાનું દર્શન શું બધું જોવા મળતું'તું !
દાદાશ્રી : ઠેઠ સુધી, પછી એમના ભત્રીજા આવ્યા'તા, એમના ભઈના દીકરાઓ. તે એ બે જણ આવ્યા, તે એમને ઢીલા પડતા જોયા મને જોઈને. એટલે મેં જાણ્યું કે હમણે ડસકં આવશે ને રડશે. એટલે મેં કહ્યું, ‘તમે બહાર બેસો.” એટલે એમને એકલાને બહાર બેસાડ્યા'તા. કારણ કે મને મુશ્કેલીમાં મૂકે ને ! એ ખૂબ રડે એટલે પછી થોડુંઘણું બે ટપકા પડી જાય મને. એ ટપકા પડે એનો વાંધો નથી, પણ એ વ્યવહાર યોગ્ય ના કહેવાય.
પ્રશ્નકર્તા: ના, પણ દાદા, તે દિવસે ચંદ્રકાંતભાઈ વખતે.. દાદાશ્રી : એ થયું'તું. ત્યાં આગળ એવું જોવાઈ ગયું અને એટલો