________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
૩૮૧
અને આ તો જ્ઞાતા-દ્રષ્ટા સાથેનું. પણ મોટું કેવું થયું હતું તે હજુ મને ખબર, આ લોકોને ખબર પડે ને મનેય ખબર પડે એવું મોટું થયેલું, નહીં ? આ જ્ઞાન થયા પછી. આ ભાઈ જોઈ ગયા'તા છાનામાના આવીને, નીચા નમીને, એમને અસર જાણવી'તી કે આ શું અસર થઈ દાદાને ? તમે જોઈ ગયા'તા ખરું ? શું શું જોયું'તું ?
પ્રશ્નકર્તા: બધું જોયું'તું. દાદાશ્રી : આંખમાં કશું જોયું'તું ? પ્રશ્નકર્તા: આંખમાં પાણી આવ્યું તું.
દાદાશ્રી : હતા, હતા. જેટલું એમને દેખાતું તું એટલે મને દેખાતું'તું, જ્ઞાનમાં. એ સહજ સ્વભાવ ! જો કદી આ અહંકાર કરવાનો હોય ને, પણ ત્યાં અહંકાર અમારો હોય નહીં પણ જો આ આજનું આ જ્ઞાન ના હોય તો અહંકારે કરીને બિલકુલ કશું બહાર ના પડવા દઉં. ક્લિયર દેખાડું બધું. અત્યારે ગમે એટલા પરિણામ થાય તોય ક્લિયર દેખાડી દઉં. અહંકાર શું ના કરે ? અત્યારે તો સહજ બધું.
જોવા મળી દાદાની દેહાતીત દશા અમે નિરંતર મોશનમાં રહીએ, પેટમાં પાણી ના હાલે. લોક જાણે કે વાઈફ મરી ગયા એટલે શુંનું શું થયું હશે એમને ! પણ હીરાબા ઑફ થઈ ગયા, ત્યારે હું પણ જોડે ને જોડે સ્મશાનમાં ગયો હતો ને લોકો આંખોમાં જોતા હતા પણ કશું દેખાય નહીં ને ! કશું જ ના દેખાય. રડવુંય ના દેખાય, હસવુંય ના દેખાય. શું કહ્યું ? નોર્મલ પોઝિશન (સામાન્ય સ્થિતિ, સામાન્ય દશા). એ સામા રડે, આ શરીરનો, પ્રકૃતિનો સ્વભાવ છે કે જો સામો રડતો દેખે ને, તો આંખમાં પાણી આવે. પણ એ છે કે હું જોઉ નહીં અને પેલાની આંખમાંથી પાણી આવતા પહેલા કંઈક એવો શબ્દ બોલું તે વળી જાય. સમજ પડીને ? અને નહીં તોય અમે જ્ઞાનમાં જ રહીએ. એક સેકન્ડેય શરીરમાં ના રહીએ. ઠેઠ સ્મશાનમાં જતા સુધી, સ્મશાનમાંથી પાછા આવતા હોય