________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
૩૭૯
હીરાબા મારા વાઈફ છે', એ એઝેક્ટ મારી માન્યતા હોય નિશ્ચયથી તો મને રડવું આવ્યા વગર રહે નહીં ને ! પણ આમાં તો હું હસંય નહીં અને રડુંય નહીં. લોકોએ ઠેઠ સુધી હીરાબાની પાછળ મને જોયો. મારી આંખો સામું જોયું. પણ કશું દેખે નહીં ને ! એક ક્ષણવાર અમે ઉપયોગ ચૂકીએ નહીં, નહીં તો અમનેય ડૂસકું ભરાય. લોકોને રડતા દેખીએ ને, તે ડૂસકું ભરાય. શું થાય ? અમને મરેલા પર રડવું ના આવે. જીવતા માણસ રડતા દેખીએ ત્યારે મનમાં ભરાય. એ જોઈ શકાય નહીં અમારાથી. એટલે આ પ્રસંગમાં અમે જીવતા માણસનેય રડતા જોઈએ ને, ત્યાં અમે જોઈએ-કરીએ પણ કશું અસર ના થાય એટલું બધું તાળું મારી દીધેલું. ઠેઠ સુધી, સ્મશાનમાં બેઠા તોય નહીં, અસર જ નહીં. નો ઈફેક્ટ (અસર નહીં !
અહંકારતી ડખલ નહીં માટે પરિણામ દેખાડે ક્લિયર
પ્રશ્નકર્તા : તમને જે ચંદ્રકાંતભાઈના મૃત્યુ વખતે રિએક્શન આવ્યું'તું ને ?
દાદાશ્રી : હા, આવ્યું'તું. અહીં ગાડીમાંથી ઊતર્યો ને, ત્યારે મારામાંય રિએક્શન આવ્યું તું.
પ્રશ્નકર્તા: એ મારે જાણવું છે, જ્ઞાની પુરુષનું શું રિએક્શન હોય ?
દાદાશ્રી : આ રિએક્શન તો, રાત્રે દેહ છે તે જરા શોક સ્વભાવી થયો અને આંખેય જરા ઢીલી થઈ, મોટું પણ ઢીલું થયું. એ જે બધી અસર થઈ એ પાછી મને દેખાઈ બધી. હું એને જોયા કરતો’તો. બધી અસરને હું જોયા કરું. એટલે કંટ્રોલની બહાર આગળ ખસવા ના દઉ પછી. કારણ આગળ જાય તો બીજા બધા લોકોને દુઃખ થઈ જાય, ભારે પડી જાય.
પ્રશ્નકર્તા : એ પહેલા એવી કોઈ અસર થયેલી ?
દાદાશ્રી : ૧૯૫૬માં થયેલી જ્ઞાન થતા પહેલા, અમારા મધર ઑફ થઈ ગયા'તા ત્યારે.