________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
૩૮૩
બધો એ ઉપયોગ મૂક્યો નહીં મેં એટલે પછી એ મૂક્યો ને. એ તો એક્ઝક્ટ મૂકી દેવો પડે ઉપયોગ. એ ઉપયોગ સહેજ ખસી ગયો કે એવું થઈ ગયું'તું. અહીં ઠેઠ સુધી થયું નથી. થયું છે કંઈ?
પ્રશ્નકર્તા : હા, નથી થયું.
દાદાશ્રી : અને પથારીમાં હતો, રસિકભાઈ કહેવા આવ્યા તોય કશું નહીં. મેં કહ્યું, “વાંધો નહીં. તમે છે તે બધું આનું આ પ્રમાણે કરો.”
અમે નિરંતર જ્ઞાનમાં રહીએ. એક સેન્ટ પણ જો એ થઈ જાય ને તોય ડૂસકું દેવાઈ જાય. નિરંતર જ્ઞાનમાં, એક સમય પણ ફેરફાર નહીં, નહીં તો ડૂસકો લેવાઈ જાય. અવકાશ મળ્યો કે ડૂસકો આવી જાય.
આજે તો વાજા વગાડાય પ્રશ્નકર્તા : જે ઓટલા પર હતા ને, એમની આંખોમાં આંસુ આવી ગયા હતા.
દાદાશ્રી : હા, આંસુ હતા. એટલે જ્યાં આંસુ દેખાય ને, ત્યાં મોટું ફેરવી લઉં. કારણ કે કો'કનામાં આંસુ દેખું એટલે મને આંસુ આવે, પણ હું જ્ઞાની પુરુષ અને મારે તો કંટ્રોલમાં રહેવું જોઈએ. મને જો રડવું આવે તો બધા રડે પછી. ‘હુ હુ હું થઈ જાય બધે. શું થાય ? અને આ રડવાની જગ્યા નહોય, આ તો આનંદ કરવાની જગ્યા. મેં તો કહ્યું, “બેન્ડ હોય તો બેન્ડ વગાડાવો', પણ લોક માન્ય ના કરે ને !
અત્યારે લોકો મને કહે કે વાજા વગાડો તો હું વગાડાવું. પાંચસો રૂપિયા આપીને કે તું વગાડ ધમધોકાર કે સારું થયું આટલી ઉંમરે છૂટ્યા આ દેહમાંથી, નહીં તો દેહમાં તો કકળાટ કરાવડાવે. આ ઉપાધિ શી રીતે સહન થાય પૈડપણમાં તે ?
એમણે ક્યારેય કોઈને ગાળ ભાંડી નથી, કોઈને વઢ્યા નથી, કોઈને કશું કહ્યું નથી કોઈ દહાડો, કોઈ આરોપ મૂક્યો નથી.
પ્રશ્નકર્તા: ના, દાદા, એવું કશું નથી કર્યું.