________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
૩૭૩
દાદાશ્રી : બહુ ભાગ્યશાળી ! આ તો કેટલા હાર ચડ્યા ! દોઢસો. પચાસ-પોણોસો પેલા સુખડના હતા. એ જેવું તેવું પુણ્ય કહેવાય ? કેટલા બધા લોકો દર્શન કરતા હતા ! અને એ તો કંઈ જ્ઞાની નહોતા. પણ લોકોનો પ્રેમ કેટલો બધો ! પોણોસો માળાઓ સુખડની ને પોણોસો પેલી, એટલી તો માળાઓ પડી એમની પર. ત્યાં સ્મશાને લઈ ગયા તે માળાઓ સાથે લઈ ગયેલા. તે આટલું મોટું ઊંચું દેખાતું'તું. લોકોનો પ્રેમ પણ એટલો હતો ને એમના પર. કંઈ મારે લીધે હતો એવું નહીં. એમની પર ભાવ હતો. મારે લીધે હોવું એ જુદી વસ્તુ છે. એવી રીતે કલ્યાણ થઈ ગયું ! પામીને અમારા કહ્યા પ્રમાણે ચાલ્યા ગયા.
સ્મશાન સુધી હીરાબાની જોડે તે જોડે પાલખીમાં ફેરવીને પાછી મામાની પોળમાં ઊભી રાખી અને નીચે મૂકી થોડીવાર, ઘર આગળ.
પ્રશ્નકર્તા : હા દાદા, એ સરસ કર્યું.
દાદાશ્રી : અને જોડે રહેનાર બધા રડતા'તા, એ મેં જોયા, અમારે ત્યાં.
પ્રશ્નકર્તા : એમનોય ત્યાં જવાનો ભાવ હતો.
દાદાશ્રી : પછી બધા મને કહે છે, “તમે આવશો ?' મેં કહ્યું, હા, જરૂર.” હીરાબા જાય છે ને હું મૂકવા ના આવું તો ખોટું કહેવાય ને ! એટલે હું હીરાબાને મૂકવા આવીશ.” કહ્યું. હીરાબા કંઈ ગયા છે ? નામ ગયું અને ઠામ ગયું. નામ ને ઠામ બે જ ગયું ને, જે રહેતા હતા એ ઘર. પછી હું તો પેલી ચેરમાં નીકળ્યો.
હુંયે સ્મશાનમાં ગયો’તો, પેલી વ્હીલચેર ઉપર. બધા કહે કે ગાડીમાં આવો, ત્યારે મેં કહ્યું, ‘ગાડીમાં આવું તો તો મને રસ્તામાં ભેગા થાય નહીં ને !
પ્રશ્નકર્તા : આજ-કાલ બધા ગાડીઓમાં જ જાય છે, દાદા.