Book Title: Gnani Purush Part 2
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 430
________________ ૩૭૧ [૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ ૩૭૧ વર્ષોતો રહ્યો સંગાથ, પછી શોક શાને ? હીરાબાને તેરમે વર્ષે લગ્ન થયા'તા તે એ વાતને આજે ત્રેસઠ વર્ષ થયા ત્યારે કહે છે, “જઉ છું.” એ સંગાથ તો મોટો કહેવાય ને, નહીં ? સંગાથ મોટો ના કહેવાય ? પ્રશ્નકર્તા : કહેવાય, મોટો જ કહેવાય. દાદાશ્રી : ઓછો ના કહેવાય. પછી એની પાછળ શોક હોય જ નહીં ને ! છૂટવાનું તો હતું જ ને હવે. પ્રશ્નકર્તા : હા, છૂટવાનું હતું. દાદાશ્રી છૂટવા માટે તો આ નાદારી નીકળી'તી ને બધા અંગોની. બોલેય બંધ થઈ જાય પછી. પ્રશ્નકર્તા : હા, બોલેય બંધ થઈ જાય. દાદાશ્રી : બોલનોય લવો થઈ જાય. બોલવું હોય શું ને નીકળે શું, લ.. લ.... લ.. એવું થાય. છેવટે જવાનું આપણે તો મેં કહ્યું, “દુકાન ભાંગી ગઈ હોય ને, તો બીજી નવી બાંધવી સારી. ત્યાં થાંભલા પડી ગયા હોય, બીજો પડવાની તૈયારી હોય, નળિયા પડતા હોય ને તોય રહેનાર કહે, “ના, મારે આમાં જ રહેવું છે. એને ગમે નહીં નીકળવું. કેમ બોલતા નથી ? પ્રશ્નકર્તા : ઘર છોડવાનું ગમે જ નહીં. દાદાશ્રી : પણ છોડવાનું નથી ગમતું એય અજાયબી છે ને ! હીરાબાને તો પહેલા મેં પૂછેલું, “આપણે જવું પડશે ?” “એ વગર છૂટકો જ નહીં' કહે છે. અને મેં કહ્યું, “ઘેડપણ મારે આવી ગયું.” “તે આવે ને, બૂમો શું કરવા પાડો છો ? એ તો આવે જ કહે છે. ગમ્મત કરવા સારુ મેં કહ્યું, “આ લોકો મને કહે છે કે તમે પૈડા

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448