________________
[૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
૩૫૭
હીરાબા : હં.
દાદાશ્રી : એવું હોતું હશે ? તો તો પછી અહીંથી જાય જ નહીં ને લોક ? નીરુમા નથી જ જવું હોતું ને !
સંગાથ તો કોઈતોય નહીં હીરાબા ઃ આ જોડે તો કોઈ આવવાનું નથી, એકલા જવાનું છે. દાદાશ્રી : દિવાળીબા તો આવશે ને, જોડે ? હીરાબા : અરે, દિવાળીબાને શું કરવા માટે જોડે ? દાદાશ્રી : ત્યારે સંગાથ કોનો કરશો ? હીરાબા : સંગાથ તો કોઈનોય નહીં. દાદાશ્રી : મારો કરજો, મારો. નીરુમા : દાદા ભગવાનનો. હીરાબા : તે તો કરીશું જ સ્તો.
દાદાશ્રી : એ મારાથી વીસ વર્ષ શી રીતે જીવાય ? એ તો એ (હીરાબા) જીવે. નીરુબેન, કાઢે મારું આ શરીર ?
નીરુમા : વધારે. હીરાબા : અરે, તમારું પણ શરીર સારું છે, વધારે કાઢશો. દાદાશ્રી : તમારા કરતા વધારે ? હિરાબા : હા. દાદાશ્રી : તમારું તો આવું શરીર, કેટલું મજબૂત શરીરેય આમ !
કોઈયે તા મરે દિવાળીબાએ શી રીતે આ રંડાપો કાઢ્યો હશે બધો ?