________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
૩૫૫
દાદાશ્રી : આવે ને એ તો.
પ્રશ્નકર્તા : ઊંઘ તો એમને આવે સારી, પણ આ પેલું દુઃખે છે ને રાત્રે એટલે.
દાદાશ્રી : બહુ દુઃખે છે ? હીરાબા ઃ હા, એ બહુ દુઃખે છે. દાદાશ્રી : પાસું ફેરવે એટલે, નહીં ? હીરાબા : હા, પાસું ફેરવું એટલે..
નીરુમા : પેલો હાથ દુઃખતો હતો ને, એટલે રાત્રે ઊંઘ ના આવે એટલે એ પાસે ફેરવવા ઊઠાડે ને પછી પાછા પોતે ને પોતે સવારે કહે, કે “જો હું તને કેટલું ઊઠાડું છું, તારી ઊંઘ બગાડું છું એ મારો જ દોષ ને ?”
દાદાશ્રી : હા, બરાબર છે.
નીરુમા : મેં કહ્યું, “બા, એમાં શેનો દોષ ? અમારે તો સેવાનો આવો લાભ મળ્યો, આવું કંઈથી હોય ?
(નીરુમાં મહાત્મા સાથે વાત કરે છે) : બહુ જ આમ આખી રાત આમ બેઠા ને બેઠા હોય. એમને એટલું બધું એ થઈ ગયું પછી, “હવે તું અહીં સાથે ને સાથે સૂઈ જા મારી જોડે, મારા પલંગમાં ને સોડમાં સૂઈ જા. આખી રાત તને જગાડી', એમ કહીને પછી સૂવડાવી એમણે મને. એવા પ્રેમાળ, બહુ નિર્દોષ !
દાદાશ્રી : આમને કોઈક હેરાન કરે એ સુખી ના થાય. પ્રશ્નકર્તા : ના, કોઈ સુખી ના થાય.
દાદાશ્રી : હા, અને રાજી કરે તો સુખી થઈ જાય. એમને જે જે લોકો રાજી કરી ગયા ને, તે સુખી થઈ ગયેલા. કારણ બધું ચોખ્ખું ખાતું, બિલકુલ ચોખ્ખું ખાતું. એમના આશીર્વાદેય સારા. અમે તો ખટપટિયા નાનપણથી.