________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
દુઃખે તો હસવું શી રીતે આવે ?
દાદાશ્રી : આજે દુ:ખ્યું'તું ? હીરાબા : આ દુ:ખે છે ને !
દાદાશ્રી : એમ ?
હીરાબા : નહીં તોય શું થાય તે ? ભાંગ્યું એટલે... દાદાશ્રી : તો આ હસવું શી રીતે આવે બળ્યું ?
હીરાબા : હસવું તો આવે જ ને !
દાદાશ્રી : દુ:ખે જુદું ને હસવું એ બે જુદું ?
હીરાબા : હા, એ તો આવેય ખરું.
દાદાશ્રી : એમ !
૩૫૩
સહુનું સારું થજો
હીરાબા : કોઈનું બૂરું ના કહેવાય એ. સહુનું સારું થજો એવું કહું. દાદાશ્રી : તે કેટલો વખત બોલો છો ?
હીરાબા : બે-ત્રણ વખત.
દાદાશ્રી : બે-ત્રણ વખત બોલો છો, સહુનું સારું થજો ? હીરાબા : હાસ્તો.
દાદાશ્રી : તમારે તો કોઈ દુશ્મન જ નહીં ને ?
હીરાબા ના રે, મારે દુશ્મન શાનો ?
દાદાશ્રી : કોઈ દુશ્મન-બુશ્મન નહીં ? ના ફાવતું હોય એવું નહીં ને ? બધાય જોડે ફાવતું ?
હીરાબા : હા.