________________
૩૫૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાએ કેટલા સાચવ્યા હશે કે હીરાબા વિધિ કરે
એકવાર પેપરવાળા કહે છે, તમારા તરફ પૂજ્યભાવ ખરો કે? મેં કહ્યું, “હું જ્યારે જઉ છું ને, ત્યારે એ વિધિ કરીને પછી બેસવાના.” અહીં કપાળ અડાડીને વિધિ કરીને પછી બેસવાનું. આ બધાએ જોયેલું છે. તે અમે કેટલા સાચવ્યા હશે કે એ વિધિ કરતા હશે ? કોઈ જ્ઞાનીની સ્ત્રીએ એમની પાસે વિધિ કરેલી નહીં. ત્યારે અમે કેવા સાચવ્યા હશે એમને, એ પરથી તમને સમજાય બધું ?
(દાદા-હીરાબા સાથે વાતો કેટલા પુણ્યશાળી કે કોઈ કશું બોલે નહીં !
શરીરેય આપણું થાય કંઈ ? એ તો સારું છે, પુણ્યશાળી છો તમને એ પજવતું નહીં. લોકોને તો પજવે છે શરીર, બહુ પજવે. પેટમાં દુ:ખે, માથું દુઃખે, શ્વાસ ચઢે ને એવું બધું થયા કરે ને ! તમે તો બહુ પુણ્યશાળી !
એય પડી રહે છાનીમાની, બોલ બોલ કરે છે ! એવું બોલે મૂઆ. તમે તો પુણ્યશાળી છો, કોઈ અક્ષરેય બોલે નહીં. “હીરાબા હીરાબા હીરાબા....” તે કેવું પુણ્ય લઈને આવ્યા છે ! તમે જોયેલું નહીં લોકોનું ?
હીરાબા : જોયેલું.
દાદાશ્રી : આ બધું જોયેલું છે ને ! બેસી જા છાનીમાની, બેસી જા' એવું કહે. તે બધય એવું, આનું આ જ છે.
પ્રશ્નકર્તા : ના, પણ એમને “મને આમ થાય છે કે મને તેમ થાય છે', એવું કશુંય નહીં.
દાદાશ્રી : ના, એવું નહીં, કશી બૂમ જ નહીં ને ! પ્રશ્નકર્તા : એ કોઈ બહુ કહે ને, તો કહે, “આ ઢીંચણ થોડું
દુ:ખે છે.”