________________
૩૫૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
એ વિધિ મોટી પાછી, પગ માથા ઉપર મૂકીને પછી કરવાની. એક અહીં કરવાની, એક અહીં કરવાની, બધી કરવાની. તે એમને નીચે નમવાનું નહીં. ચાર છોકરા અમારી ખુરશી ઊંચકી રાખે અને અમારા પગે અહીં માથું અડાડે. આમ ઊંચે અમારી ખુરશી ધરી રાખી તે પગે માથું અડાડીને બેઠેલા હોય. અમારે વિધિ કરવાની ને એમને બોલાવું, “હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એમ હીરાબા બોલે. એટલે એ વિધિઓ કેવી કરવાની ? પદ્ધતસર વિધિ કરવાની પાછી. એ તમે જોઈ નથી એમને વિધિ કરે છે તે ? પદ્ધતસર વિધિ, “હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું.' હીરાબા “હું શુદ્ધાત્મા” બોલે છે ને પછી “જય સચ્ચિદાનંદ' બોલે. અમે વિધિ કરીએ કે તરત “જય સચ્ચિદાનંદ' કહે. જેટલો અવાજ નીકળે એટલો, મને સંભળાય જ નહીં પણ આ બીજા બધા કહે કે બોલ્યા. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું કેમ કહેવાય આપણાથી ?
એટલે કહે, “બસ થઈ ગયું અમારે. આટલું અમારું સાચવવાનું.” નીરુબેન જોડે આવે ને એમને વિધિ કરાવી આપે અને કશીય અડચણ પડવા ના દે ! બધા બહુ છોકરાંઓ, કેટલા બધા આવ-જાવ કરે ને !