________________
૩૪૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
દાદાને ધર્યા જગકલ્યાણે પ્રશ્નકર્તા : દાદા, તમે બહાર સત્સંગ માટે જાવ તો એમને દુ:ખ નથી થતું ?
દાદાશ્રી : ના, એ તો મને કહે છે, “બધાય લોકોનું કલ્યાણ કરો.” લોકોનું કલ્યાણ કરું છું એટલે મને બહાર નીકળવા દે, નહીંતર નીકળવા ના દે અત્યારે આટલી ઉંમરે.
પ્રશ્નકર્તા: પણ દાદા, અમને તમારો આટલો વિયોગ લાગે તો હીરાબાનેય વિયોગ લાગતો હશે ને તમારો ?
દાદાશ્રી : ના, એ તો ઊલટા કહે છે, “લોકોનું કલ્યાણ થાય એટલા માટે જાવ, હું મારી મેળે “દાદા ભગવાન” કર્યા કરીશ.” લોકોનું કલ્યાણ થાય આમાં તો ! લોકોને બહુ સારો લાભ થશે, આ બધું આખું ટોળું ઊભું થઈ રહ્યું છે ને ! આ સંઘ બહુ મોટો છે.
પણ હું વડોદરામાં હોઉં ત્યારે મારે હાજરી આપવા જવું પડે. જેમ ઘણા માણસને પોલીસ ગેટ ઉપર હાજર નથી થવું પડતું રોજ ? એમ હાજર થવું પડે. આ તો વિધિ કરી આપ્યા પછી પાછા આવવાની છૂટ. એમને વિધિ કરી આપવાની. એ ત્યાં ના આવી શકે એટલે મારે