________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
એ આજ છે તે એપલ લાવી આપે, કાલે છે તે કેળા લાવી આપે. પરમ દહાડે વળી પછી બીજું લાવી આપે, જામફળ લાવી આપે. ટુકડો નહીં, આખે આખું જ આપે. અને આ છોકરાં તો એટલા બધા આનંદમાં
આવી જાય છે કે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર' બોલ્યા જ કરે છે આખો દહાડો !
૩૪૭
એ સુખી રહે એટલે બહુ થઈ ગયું
એટલે તોંતેર વર્ષે હીરાબાને ઊઠાતું નથી અને હાથે કામ થતું નથી. એટલે પલંગની બહાર નીચે ઉતારાય નહીં. એ બેઠા બેઠા આનંદ કરે. બેઠા હોય તો એમ જ લાગે બહુ સુખી છે આ. મને કહેતા'તા પણ,
આ લોક તો કહે છે કે હું સુખી છું પણ આ તો પગે નથી ચલાતુંને મારે.’ મેં કહ્યું, ‘એ સંભારવાનું નહીં હવે. બોંતેર વર્ષો એણે કામ કર્યું, હવે એ છે તે સ્પેર પાર્ટ (શરીરનો હિસ્સો) બગડી ગયો. જેટલા સ્પેર પાર્ટસ સારા છે એનાથી કામ લ્યો આપણે.’
પ્રશ્નકર્તા : કેટલા વરસથી છે એવું છે, દાદા ?
દાદાશ્રી : બે-ત્રણ વરસથી. અને બહુ કસરતો-બસરતો બધું બહુ કરાવ્યું પણ કશુંય વળતું નથી. અને પાછું એક એ કે એ હવે તો શક્તિ આવીને ઊભા થાય અને જો ફરી એ પગ ચાલુ થઈ જાય તો પછી ફ૨ ફ૨ કરીને પાછા પડી જાય છે. તો પાછા કહે, ‘મારું ભાંગ્યું.’ આ ભાંગે છે ને તે ભાંગે છે વારેઘડીએ. એટલે બે-ત્રણ વખત બ્રેકેજ થયું (ભાંગી ગયું) આવું. એટલે પછી બધાય કહે છે, ‘આ હવે બહુ પ્રયત્ન કરશો નહીં, નહીં તો બ્રેકેજ થયા કરશે.' એટલે એ દુઃખી થાય, એના કરતા આ બેઠા બેઠા એય આનંદ કરે. અને એક જૈન બઈ છે સારી, તે રસોઈ કરે છે, એમની સેવા કરે છે. બીજી એક બઈ સેવા કરે છે. બધા બે-ત્રણ જણ હઉ સેવા કરે છે. માટે એ હવે મજા કરે છે, કારણ ઉંમર થઈ ગઈને હવે તો, હવે વધુ આશા રાખી શકીએ નહીં ને આપણે. એ સુખી રહે એટલે બહુ થઈ ગયું. એમને દુઃખ ના થવું જોઈએ કશું.