________________
૩૫૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કોણે મોકલ્યું છૈડપણ ?
થૈડપણ આવ્યું ને બા. તમે કાગળ લખીને બોલાવ્યું, નહીં તો ન’તું આવવાનું.
હીરાબા : મેં બોલાવ્યું નથી.
દાદાશ્રી : તો શી રીતે ખબર પડી આને ? આપણે ઘેર તો કોઈએ કાગળ લખ્યો નથી.
હીરાબા : નહોતું જોઈતું ધૈડપણ.
દાદાશ્રી : મને હઉ મોકલ્યું ને ! તમે કહો છો, ‘મારા પછી તમે જજો.’ એમ કરીને મને હઉ મોકલાવડાવ્યું. નહીં તો મારે જતું જ રહેવું હતું ને ? પણ એમણે શરત કરી, શું શરત કરી'તી ?
હીરાબા : પહેલું મારે જવાનું.
દાદાશ્રી : એટલે જ મારે ધૈડપણ આવ્યું ને ! તમારું શરીર તો સારું છે.
હીરાબા હાથ સારો નથી ને !
દાદાશ્રી : ના, પણ તમે જવાનું કહો છો ને મારે જવાનું...
હીરાબા : વીસ વરસ કાઢવાના છે.
દાદાશ્રી : ઓહોહો...
ત્યાં ઉપર બધા ગયા તેને શાનો નાસ્તો મળતો હશે ?
હીરાબા : શાનો નાસ્તો ?
:
દાદાશ્રી : ત્યાં આગળ બેસી રહે, તે એમ ને એમ ભૂખ્યા બેસી રહેવાતું હશે ? નાસ્તો તો આપે જ ને ?
હીરાબા : ત્યાં નાસ્તો શાનો ?
દાદાશ્રી : તો ત્યાં ભૂખ્યા બેસી રહે ?