________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
પ્રશ્નકર્તા : એમની એક મોટામાં મોટી મહાનતા એ કે આ ઉંમરે દાદાને જગત કલ્યાણ માટે વિશ્વભરમાં ફરવા જવા દેતા.
દાદાશ્રી : હા, એ પોતે આશીર્વાદ આપતા હતા.
પ્રશ્નકર્તા : હું આમને ઘણીવાર કહું કે આપણે આ શીખવાનું છે કે હીરાબા કેવા એમને આશીર્વાદ આપીને પરદેશ મોકલે છે અને...
૩૬૫
દાદાશ્રી : અને જ્યારે હોય ત્યારે કહેશે, ‘બધું કલ્યાણ કરીને આવો.' ચાલો, બધું જે થયું તે, મને લાગતું'તું કે દિવાળી પહેલા જશે, પણ આ અમારી જયંતી પૂરેપૂરી ઉજવ્યા પછી અને આ અમારો એક્સિડન્ટ (અકસ્માત) થયા પછી ચાલ્યા.
છેલ્લા ત્રણ મહિતા જોડે જ રહ્યા
પ્રશ્નકર્તા : અને એમણે જાણ્યું કે દાદા સારા પણ થઈ ગયા છે પાછા. દાદાશ્રી : સારા થઈ ગયા. એક્સિડન્ટ થઈ ગયો અને પછી સારું થઈ ગયું એમ કહે.
મને પેલા નટુભાઈ ગઈ સાલથી કહે કહે કરે કે ‘હીરાબા છે તે આ દિવાળી નહીં કાઢે.' એટલે હું ચેતી ગયેલો. મેં કહ્યું, ‘દિવાળી પહેલા કંઈ થાય તો...’ એટલે અહીં રહેતો'તો, ખસતો નહોતો. મેં કહ્યું, ‘આ બોલેલો છે ત્રાહિત રીતે, રાગ-દ્વેષ રહિત ! વાણી કંઈ અવળી પડે નહીં. કંઈક બોલે છે, માટે બરોબર છે.' તે અહીં રહેલો.
પ્રશ્નકર્તા : અને એ માટે કદાચ એક્સિડન્ટ પણ નિમિત્ત હોય કે જેથી તમારે અહીંયા રહેવું જ પડે.
દાદાશ્રી : બધું નિમિત્ત જ ને ! હિસાબ બધો ચૂકતે કરે ને ! છેવટે મુક્ત કર્યા. ત્રણ મહિના રહ્યા'તા સાથે, જોડે ને જોડે, ચોવીસેય કલાક.
છેલ્લા દહાડા સુધી માથે પગ મૂકીને વિધિ
દરરોજ રાતે વિધિ-બિધિ બધું કરીએ. બ્લડ પ્રેશર હતું, પહેલા