________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
૩૬૩
પ્રશ્નકર્તા : દાદા, હીરાબાની એક વાત સાચી પડી. એ મને કહેતા'તા, કે હું જ્યારે જઈશ ત્યારે દાદા હાજર હશે. મને પ્રૉમિસ આપેલું છે, કહે છે. તે આ બહુ માંદા થઈ જાય ને તમે વડોદરામાં હાજર ના હોવ ને, તો મને ગભરામણ ના થાય !
દાદાશ્રી : હા, આ ખાતરી તો જોઈએ ને !
પ્રશ્નકર્તા : ખાતરી, અને તમે અહીં આવી જાવ ને, પછી બહુ ચિંતા ના થાય, કે દાદા અહીંયા છે. પણ આજથી કેટલાય વર્ષ ઉપર કહેલું મને, કે આ તમે પંદર દહાડા અહીં રહો, પંદર દહાડા મુંબઈ જાવ. અને વાતમાં ને વાતમાં કહેલું છે, એમનું પ્રૉમિસ છે કે હું દેહ છોડીશ ત્યારે એ હાજર હશે.
દાદાશ્રી : બહુ જબરજસ્ત ખાતરી કહેવાય, એવી પોતાની જાતની ખાતરી હોય તો એ કામ કર્યા વગર રહે જ નહીં ને ! જાતની ખાતરી !
પ્રશ્નકર્તા: અમને ખાતરી પડી જાય ને, દાદા. અમુક વાતો તો એમની એવી.
દાદાશ્રી : એમની જોડે રહ્યા અને અઢી-ત્રણ મહિના થયા, નહીં ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : એકધારો ત્રણ મહિના જોડે જ.
હીરાબાની ભાવના એમના જીવતા જ કરી પૂર્ણ
પ્રશ્નકર્તા : દાદા, તમે હીરાબાની ભાવના પ્રમાણે બધાને જમાડ્યા હતા ને ?
દાદાશ્રી : હા, હીરાબા માટે જીવતા કરાવડાવ્યું. હીરાબા કહે, ‘જીવતા થાય ?” મેં કહ્યું, “હા, સારી રીતે થાય. કેમ ન થાય ?” પાછો આપણા માતાજીનો યજ્ઞ કરાવડાવ્યો. એટલે યજ્ઞના નામ પર આવે ને બધા. લોકો જમવા આવે, નહીં તો જમવા કોણ આવે ?
પ્રશ્નકર્તા : હે, બરાબર.