________________
[૨૨] હીરાબાના દેહવિલય વખતે દાદાની સ્થિતિ
સૌભાગ્યવતી થઈને હું જઉં પ્રશ્નકર્તા: હીરાબા બહુ ભદ્રિક, દેવી જેવા, બહુ જ સરળ, જરાય આડાઈ નહીં.
દાદાશ્રી : તે મને કહેતા હતા, “હવે જઉ તો સારું.” મેં કહ્યું, એની ઉતાવળ શું કરવા કરો છો, શેના હારુ ઉતાવળ કરો છો ? ત્યારે કહે, “ના, તમારા પછી મારે ના રહેવાય, મારે તો પહેલું જ જવું જોઈએ.” એટલે કાયદાના આધારે હ. એવું પ્રેમના આધારે નહીં, કાયદાના આધારે. તમારા વગર મને ગમશે નહીં એવું નહીં, પણ કાયદો એવો કે “હું છે તે સૌભાગ્યવંતી થઈને જઉ. એટલે ગંગાસ્વરૂપ મારે થવું ના પડે.” શું ?
પ્રશ્નકર્તા: હં, એ અમારા કાઠિયાવાડમાં એમ કહે, “ચાંદલે જવું.” દાદાશ્રી: હા, તે સૌભાગ્યવંતી થઈને હું જઉ. ત્યારે પાકા છે ને ? પ્રશ્નકર્તા : બિલકુલ પાકા.
નીરુમા : પછી આપે કહ્યું ને, કે “ઉતાવળ શું કરવા ? આપ પછી હું કેટલા વર્ષ રહીશ ?” તો કહે કે “તમે દસ વર્ષ રહેશો.”
દાદાશ્રી : હં. પછી ?