________________
૩૫૮
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
હિરાબા : તે તો કાઢે જ સ્તો. એ તો કાઢે ને બધુંય. ધણી મરી જાય એટલે થઈ જાય પાછું.
દાદાશ્રી : પછી ભૂલી જાય ? હીરાબા : હં. તે આ ભૂલી ગયા !
દાદાશ્રી : મણીભાઈ જીવતા હતા ત્યારે એમને કહેતા'તા ને, ‘તમે ના હો તો હું તો મરી જઉં.'
હિરાબા : હોવે ! કોઈ નથી મરી જતું પાછળ.
દાદાશ્રી : એ એવું કહેતા'તા, ‘તમે નહીં હો તો મારાથી જીવાય નહીં.” ત્યારે હું સમજતો'તો કે આ શું મોટો રોફ મારે છે ?
હિરાબા : કોઈએય ના મરે, બધાય જીવે. આ ધણી મરી જાય તોય એ તો ખાય-પીવે ને બધું મઝા કરે.
દાદાશ્રી : તમે તો ના જીવો ને ?
હિરાબા હોવે, હુંયે જીવું. બધાય કંઈ કોઈ મરી જાય છે પાછળ? કોઈએ મરતું નથી.
દાદાશ્રી : એમ ! હીરાબા : કોઈએય ના મરે. દાદાશ્રી : આ દુનિયા આવી ? હીરાબા ઃ અરે ! દુનિયા તો વળાવી ને પાછી પરણી જાય.
હું વહેલી મરી જઉ તો સારું. હીરાબા ઃ હું વહેલી મરી જઉ તો સારું.
દાદાશ્રી : એ તો પેલું લોકોએ કહેલું કે સૌભાગ્યવતી જવાય. તે હીરાબાને જોઈએ તો મારેય સૌભાગ્યવંતી ના જોઈએ, બળ્યું?
સમજણ કેવી કે “સૌભાગ્યવતી જવાય તો સારું ! તે એ