________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
૩૫૧
વિધિ રહી જાય તો બા કરે ફરિયાદ દરરોજ વિધિ કરવાની. આ બધા મને ઊંચો કરે, હીરાબાને નીચે બેસાય નહીં ને ! તે પેલી ખુરશી ઊંચી કરે, અહીં પગ અડાડીને વિધિ કરવાની, પછી માથા ઉપર પગ મૂકવાનો. રોજ દસ મિનિટનો એ ક્રમ ત્યાં. પણ બૂમ નહીં, બરાડા નહીં. કંઈક દુઃખે-કરે નહીં, કશું જ નહીં, ફક્ત હાથ-પગ અટકી ગયા એટલું જ. અત્યારે ત્યાંથી કાગળ આવે ત્યારે શું લખે છે ?
પ્રશ્નકર્તા : બહુ આનંદમાં છે અને દાદા બધે ફરે ને જગતનું કલ્યાણ કરે.
દાદાશ્રી : બધા જાય ત્યારે પૂછે કે “શું કહેવું છે દાદાને ?” ત્યારે કહે, “કહેજો કે બધા લોકોનું કલ્યાણ કરે.”
અમારે તો વડોદરામાં હોઈએ ત્યારે એમની વિધિ કર્યા વગર નીકળવાનું નહીં. વિધિ કરાવવા જવાનું બીજી જગ્યાએ હોય તોય. વિધિ એમની કરાવીએ જ. નહીં તો એ કહે કે “મારી વિધિ બે દહાડાથી રહી ગઈ.' એમની ફરિયાદ આવે. હું કહું કે “આમ હતું એટલે રહી ગઈ.' ત્યારે કહે, “સારું પણ ફરી ના રહી જાય એવું કરજો.”