________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં...
દરરોજ જવાનું ત્યાં આગળ. અમે રહીએ જુદા. એ જુના ઘરમાં, ભાડાના ઘરમાં રહે છે અને અમે બાંધેલા નવા ઘરમાં રહીએ છીએ. રહીએ જુદા પણ એમના માટે રોજ જવાનું. જઈએ એટલે આમ કરીને આત્માની વિધિ કરે. કપાળે અંગૂઠો અડાડીને વિધિ કરવાની રોજ. એમના માથા પર પગ મૂકીને વિધિ કરવાની. એ દસ મિનિટ સુધી કરવાની. આમ વિધિઓ કરીએ ને આશીર્વાદ આપીએ.
૩૪૫
મતતા ગુણાકારના ભાગાકાર
અમારે આ એક આંગળી જરા આઘીપાછી થઈ તેમાં આટલી બધી અડચણ પડે છે, તો બધા આંગળામાં હીરાબાને જેવું થયું'તું તો એમને કેટલીય અડચણ પડતી હશે ? આ તો મને સમજણ પડી. એક આંગળી છે ને, મોઢું ધોવાતું નથી હવે. આમ કરીને ધોવા જઈએ તો ભલીવાર આવતો નથી. ત્યારે મેં કહ્યું, ‘આ હીરાબાને છે તે એક આંખ ને એક પગ નકામા થઈ ગયા તો કેવી અડચણ આવતી હશે ?' એટલે આ મને અનુભવ થયો. માટે આ આવી દુનિયામાં કેમ રહેવાય ? એકાદ આંગળીમાં જો આટલું બધું ભાંજગડ થતી હોય તો બળી આ દુનિયામાં રહેવાય કેમનું ?
હીરાબાનું શરીર આવું થઈ જાય ને, તે એક ફેરો અમારું મન એવું બોલ્યું કે ‘બળ્યું, આ દુઃખ એમને પડે છે એના કરતા છૂટે તો
સારું.' તે પછી તો કેટલી કેટલી મેં વિધિઓ કરી !
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ના, ‘સો વર્ષના થાઓ બા. દવા-ચાકરી હું કરીશ' કહ્યું. કોઈ નહીં મળે તો મારી સમજણ પ્રમાણે હું ચાકરી કરીશ, પણ એ જીવો. ના, જલદી છૂટે એવું કોઈને માટે ના થાય ને ?
પ્રશ્નકર્તા : ના થાય.
‘બા’તું ચિત્ત આનંદમાં રહે તેવો રસ્તો ખોળી કાઢ્યો
દાદાશ્રી : હીરાબાને એક હાથ ને એક પગ નબળો પડી ગયો