________________
૩૪૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
પ્રશ્નકર્તા: તો દેખાય ક્યારે? દાદાશ્રી : દેખાયા જ કરે. પ્રશ્નકર્તા અને એવું કરી શકીએ ખરા, દેખાય ત્યારે ?
દાદાશ્રી : કેમ તમે કંઈ જુદી નાતના છો ? નાત તો તેની તે જ છે ને ? આ હલ કરી શકે ને !
પ્રશ્નકર્તા: એ પરમાણુ મોકલવાના કહ્યું કે, એ શું હોય એમ ?
દાદાશ્રી : એમના આત્માને કહીએ કે એમની કાળજી લેજો, એમને થોડું એ (સહાય) કરજો.
રોજ જઈને અમારે વિધિ કરવાની પ્રશ્નકર્તા : દાદા, હીરાબાને અહીં લઈ આવો ને.
દાદાશ્રી : અહીં ? શી રીતે લાવું ? હીરાબાને એક પગ કામ કરતો નથી. એટલે આખો દહાડો બેસી રહેવું પડે પલંગમાં. સંડાસ બે જણ ઊંચકીને લઈ જાય ત્યારે. પણ આખો દહાડો બેઠા બેઠા આશીર્વાદ આપે. “દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલાવડાવું અને અમારે