________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં
૩૪૩
આ ધૂળ ઊડે ને ! અને હવે એમનો એક પગ ફીટ થતો નથી નીચે (પહોંચતો નથી નીચે). પગ જરા લૂઝ થયેલો છે, લૂઝ થયેલો એવો વાંકો થયેલો છે, તે એની કસરત ચાલુ છે.
આ જુઓ ને, મને પંચોતેર વર્ષ થયા ને એમને તોંતેર વર્ષ થયા છે. એમને આ વાંકા પગની ઉપાધિ જ ને બધી ! પણ જુઓ, આખો દહાડો આનંદમાં રહે છે. આખો દહાડો મસ્તીમાં, કારણ કે બીજો વિચાર જ નહીં ને કોઈ જાતનો. એ ખરાબ છે કે સારું છે એ ભાંજગડ નહીં ને ! સબ અચ્છા !
“બા'તી રાખે લાગણી પણ વળગાડ્યા વગર
આ અત્યારે કોઈ કહે કે “તમે હીરાબાની ચિંતા નથી કરતા ?” ભઈ, અમે તો હીરાબાની રાત-દહાડો લાગણી રાખીએ. કારણ કે એમના એક હાથ અને પગથી કામ થતું નથી. નિરાંતે બેસી રહેવું પડે છે પણ વળગાડવાનું નહીં.
પ્રશ્નકર્તા : એટલે લાગણી રાખો ને વળગે નહીં ? દાદાશ્રી : હા, વળગે નહીં. પ્રશ્નકર્તા એ કેવી રીતે ?
દાદાશ્રી : લાગણી રાખવાની, તે એમને આશીર્વાદ મોકલ્યા કરીએ અને ઘેર જઈએ ત્યારે એમને વિધિ કરાવડાવીએ દરરોજ.
પ્રશ્નકર્તા : એ લાગણી રાખીએ તેટલો વખત તો એ સાંભર્યા કરે ને ?
દાદાશ્રી : સાંભરવાનું તો અમને હોય જ નહીં કશુંય. અમને તો કશું સાંભરે જ નહીં. નીરુબેન જોડે રહે તોય સાંભરે નહીં ને !
પ્રશ્નકર્તા એટલે લાગણી રાખીએ છતાં સાંભરે નહીં એ કેવું ?
દાદાશ્રી : સાંભરવાનું કશું હોય નહીં. દેખાય ત્યારે મોકલીએ પરમાણુ.