________________
[૨૧] હીરાબાના અંતિમ દિવસોમાં..
જ્ઞાતી છતાં ગજબનું ભજવે નાટક તમે જાણો કે દાદાને કોઈ નથી, પણ એ રહ્યા હીરાબા અમારે ઘેર. એમની લાગણી મને ના થાય ? તમને તમારા બૈરી-છોકરાંની થાય ને ? તે બે દહાડાથી કહેવડાવ કહેવડાવ કરે છે, “વહેલા આવજો, વહેલા આવજો.” ગઈ સાલ તો ખંભાતની જન્મજયંતી ઉપર આવ્યા હતા, જોડે ને જોડે બેઠા હતા બગીમાં. આ ફેરે ઘણુંય કહ્યું પણ ના આવ્યા, કારણ