________________
૩૪૦
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
નીરુમા : એટલે હવે એમનાથી રંધાય નહીં ને ! રસોઈ ના થાય ને એમ !
દાદાશ્રી : એ તો અહીં જમવાનું. આપણે વાંધો શો છે ? અહીં આ કંઈ જુદાઈ છે આપણે ?
હીરાબા : ના, જુદાઈ શાની ? દાદાશ્રી : રહો ને, જમો ને ! અહીં સૂઈ જાવ. આરામ કરો.
હીરાબા : સૂઈ જઈએ છીએ ને ! આ મહીં કોટડીમાં ઘાલ્યા છે ને !
દાદાશ્રી : એ તો આવું થયું તેથી ને ! અહીં તમારો પલંગ રાખશે, વાંધો ખરો ?
હીરાબા : ના, ના, અહીં તો ટાઢ વાય. દાદાશ્રી : એ બંધ કરશે. આ પડદો રાખે ને, એટલે હવા ના આવે. હીરાબા : ના, પણ સૂઈ જવાનું તો ત્યાં (મામાની પોળ) જ સારું.
નીરુમા : પેલા પોળમાં ખુલ્લામાં રહેલા ને, દાદા, એટલે એમ કહે છે. એટલે અહીં એમને.
દાદાશ્રી : આગળ ચોક-બોક, બધું એય નિરાંતે દેખાય, ફરાય... પ્રશ્નકર્તા: સાંજે ઓટલા પર બેસે ને બહાર, બધા બહાર આવીને.
દાદાશ્રી : હા, હા. બેસે, બધા જુએ. ખુલ્લું મન રાખેલું ને બધું. મન ખુલ્લું રહેલું ને ! આ બંધિયાર લાગે એમને.
નીરુમા : ફ્લેટ સિસ્ટમ ને પેલી સિસ્ટમમાં આખું જુદું લાગે.
દાદાશ્રી : હા, આ ઘર પવિત્ર કર્યું એટલું સારું. એક દહાડો સૂઈ જજો એ રૂમમાં.
હિરાબા : સૂઈ ગઈ'તી.