________________
૩૩૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કહે કે “મારાથી ચઢાય નહીં. એટલે અમારે એકલાને ત્યાંનું ત્યાં જ (નવા ઘરે કોઠી) રહેવું પડ્યું. શું થાય ? એ કહે છે કે હું તો ત્યાં રહેવા નહીં જઉં, નવું બંધાયું ત્યાં, કોઠી ઉપર.” આ તો પઝલ જ છે ને જગત તો ! બંધાતું હતું ત્યારે કહે છે, “હું જઈશ.” અને બંધાઈ રહ્યું ત્યારે ના કહે છે. હવે ત્યાં મારા માટે છે તે પેલું ઊભું ટબવાળું સંડાસ ગોઠવ્યું છે. હવે મારાથીયે ચડાતું નથી. હવે શું કરું તે ? એ તો હિસાબ છે ને બધો. રહેવા-કરવાનો હિસાબ હોય તો ને ? ભોગવવાનો હિસાબ નક્કી હોય તો ત્યાં જ ભોગવાય ને !
‘તો અહીં જ રહીશ' કહે છે. મેં કહ્યું, ‘તમને અનુકૂળ આવે ત્યાં રહેવાનું. શું કહ્યું ?
પ્રશ્નકર્તા : અનુકૂળ આવે ત્યાં રહેવાનું.
દાદાશ્રી : હા, અમે એમ જરાય ના કહીએ કે ત્યાં રહેવા જાવ તમે. તમને અનુકૂળ આવે ત્યાં રહો.
ઘરધણીને કહ્યું કે હીરાબાને સમજાવો બિચારા ઘરધણીના મનમાં એમ સહેજ થાય ખટકો, કે “પોતાનું ઘર બંધાયું તોય આ ઘર ખાલી કરતા નથી.” તે એનું ઘરધણીને થોડુંક વધારે આપી દઈશું. મેં કહેલું, “એ જે ભાડું માગે એ આપી દેવાનું.” અને એ માણસેય એવો સમજે છે કે “મારે એવું કશું કરવું નથી.” પણ છતાંય એને એ કરીએ, સંતોષ આપીએ. એનો બિચારાનો શો ગુનો ? આપણું ઘર જુદું થયું એટલે જુદું રહેવું જ જોઈએ ને? આપણે ઘેર જવું પડે ને ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : પણ હીરાબા તો ખસવાનું ના કહે છે. “મારે પાડોશી જોડે ફાવી ગયું છે, આવા પાડોશી મને મળે નહીં' કહે છે. અને એમને એકલાને શું જોઈએ ? પેલી છોકરી એક ખાવા કરે છે.
ઘરધણી શું કહે કે “મારે તમને ખાલી નથી કરાવવું દાદાજી, ફક્ત આ તમે ત્રીજે માળે રહો, બધી જ સગવડ હું કરી આપું.” ત્યારે પછી મેં