________________
૩૩૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ફ્લેટ જે છે તેમાં, તે કહે છે, “મારે ત્યાં નથી આવવું.” તે બેય રાખવા પડ્યા. એમની ઉંમર તેર વર્ષની, તે એમને શી રીતે ના કહેવાય આપણાથી કે “ના, અહીં જ આવો.” એમને ઠીક લાગે એવું કરવું પડે.
પ્રશ્નકર્તા : મામાની પોળ છોડવી કોઈને ના ગમે, દાદા.
દાદાશ્રી : હા, છોડવી ના ગમે. બધાને, પોળવાળાને બહુ એ. તે મામાની પોળમાં રોજ જવાનું મારે, વડોદરામાં હોઉં ત્યારે. અને આમ પગ ઊંચો કરીને વિધિ કરી આપવાની, હીરાબાને. માથા પર પગ મૂકીને વિધિ કરીને પછી અહીં પાછા આવવાનું. એમની તોંતેર વર્ષની ઉંમર, એમને સત્સંગ ના જોઈએ ? રોજેય જવાનું. છોકરાં-છોકરાં તો બધા મરી પરવાર્યા છે. અત્યારે તો એ રોફ મારે છે ને અમેય રોફ મારીએ છીએ. અત્યાર સુધી સગાંવહાલાંની છોડીઓ રહેતી'તી ને ખાવા-બાવાનું કરી આપતી'તી. હવે છોડીઓ બધી પરણી ગઈ, હવે શું કરે ? તે એક જૈન બેન છે, એ બહુ સારા છે, તે એમની સેવા કરે છે, જમાડે છે ને પોતે રહે છે. અને બીજા બે-ત્રણ ભક્તો હોય તે એમની સેવા કરનારા, રાત-દહાડો. ભક્તો ખરા ને, બધાએ.
કોઠીનું ઘર પ્રશ્નકર્તા : દાદા, કોઠીનું ઘર કેટલામાં લીધેલું ?
દાદાશ્રી : કોઠીનું સાડા છ હજારમાં રાખેલું. કોઠીની જગ્યા ૧૯૪૨ની સાલમાં રાખેલી, તે ૧૯૮૨ની સાલમાં આ બેસવા ગયા આજ.
પ્રશ્નકર્તા : હા, ચાલીસ વરસે.
દાદાશ્રી : હં.. મેં જાણ્યું કે આ પૈસા નકામા જ ગયા પણ ઊગ્યા તે આ !
પ્રશ્નકર્તા: સાચો પૈસો ઊગે ને ? દાદાશ્રી : ના, પણ એ સાડા છ હજાર તો બહુ ઊગ્યા. પ્રશ્નકર્તા : હા, બહુ ઊગ્યા.