________________
૩૨૪
જ્ઞાની પુરુષ (ભાગ-૨) દાદાશ્રી : હા, તે જ કહું ને ! એટલે પાછી લીધેલી વેચાતી. એટલે એ જમાનાની વાત.
હીરાબા : પાછી લીધેલી, પણ હવે એ બોલે છે આવું એટલે.
દાદાશ્રી : પણ તે શું કરીશું ? તમે એમને કહેશો કે તમે શાના ત્રીજો ભાગ માગો ?
હીરાબા : પણ કહેવાનું શું હવે ? ત્રીજો ભાગ તો એ એમનું ખેતર છે તે લઈ જ જશે ને !
દાદાશ્રી : એમનું શાનું ખેતર ?
હીરાબા : પણ એ તો ખરું જ સ્તો. મૂઆ, હવે આપી દો ને અહીંથી.
દાદાશ્રી : એ પહેલા તમે શું કહેલું ? “કોઈને આપવાનું નથી, બધું મને આપવાનું ત્યારે મેં કહ્યું, ‘તમારું આ.” એટલે હું ઊલટો દિવાળીબા જોડે વઢો કે તમારે લેવાદેવા નથી. બોલશો નહીં અમથા.” તે વળી આજ પાછા કહે છે, “આપો, હવે.” હું એટલા હારુ તો વઢ્યો. મારું વઢેલું નકામું ગયું આ તો.
હીરાબા ? ત્યારે શું કરે એને ? એ હવે કંઈ છોડવાના છે ? એ તો વળગે એવી છે.
દાદાશ્રી : એ તો એવું સાંભળે તો ખોટું દેખાય ને ! હીરાબા : એ તો કહેવાય. ખોટું શાનું દેખાય ?
દાદાશ્રી : એ બોલશો નહીં. ખોટું દેખાય. મને ના ગમ્યું આ. એ તો પવિત્ર બઈ છે. બીજું બધું ગમે તે હશે, બાઈ પવિત્ર. મેં યોગિણી જેવી જોઈ છે. યોગિણી એટલે જેને ત્રીસ વર્ષની ઉંમરે રાંડી છે, જેણે પરપુરુષ સામે દૃષ્ટિ નથી કરી. અને ભાદરણ ગામની બધી સ્ત્રીઓ કહો, તો પાનીઓ દેખાય છે, આમની પાની નહીં દેખાયેલી કોઈ દહાડો. તેથી તો એમણે જ્યારે કહ્યું હોય ત્યારે ત્યાં આગળ સ્વામીનારાયણમાં