________________
[૧૯] હીરાબાના હાથે દાત
હીરાબાતી દાત આપવાતી ઈચ્છા પૂરી કરી
હીરાબા ધર્માદો બહુ આપે એવા નહોતા, આપણે કહીએ ને તોય. કોના હારુ રહેવા દે છે તેય એમને ખબર ન હોય. એ તો ખબર જ ના હોય ને ! નથી આપતા એટલે કો'કના હારુ રહેવા દે છે. એ તો પેલા અમદાવાદવાળા સાહેબે, એમણે પહેલા સવા લાખ એમના હાથમાં આપ્યા. મને કહે છે, ‘મારે તો હીરાબાના હાથથી, એટલે હીરાબા છે તે દાન કરે એવું કરવું છે. મેં મારું દાન જુદું આપી દીધું, પણ આ તો હીરાબા જ કરે.' તે હીરાબા પાસે કરાવ્યું, તે હીરાબા કહે, ‘લ્યો ભઈ, આમનું લઈને હું આપું છું, પણ એમાં મારું શું આમાં ?’ ફરીવાર એક લાખ લાવ્યા, તે હીરાબા પાસે અપાવ્યા. તો કહે, “ભઈ, હું આપું છું ખરી, પણ મારું શું એમાં ? તમારા એ તમારા ને મારા એ મારા.’ એવું બોલ્યા એટલે હું સમજી ગયો કે આમને બે લાખ આપવા છે. એટલે બોલે નહીં પણ સમજી જઉં ને હું ?
પ્રશ્નકર્તા : હું, સમજી જાવ.
દાદાશ્રી : એટલે પછી મેં ત્યારે બે લાખ નક્કી કરેલા કે બે લાખ આપી દેવા. તે એમણે વાંધો નહોતો ઊઠાવ્યો. અને મોઢે બોલ્યા એટલે પૂરું કરવું જોઈએ ને એમની હાજરીમાં. મેં કહ્યું, ‘હવે બે લાખ હાથ