________________
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
દાદાશ્રી : હવે કોના કરવા હારુ ?
હીરાબા : કોને ખાતર, તે એમને ખાતર. લોભ તો ખરો જ ને ! પૈસાનો લોભ ખરો હજુ. ‘બે હજાર આપે તો હું સહી કરું' કહે છે.
નીરુમા (દાદાશ્રીને) : બે હજાર આપે તો સહી કરું, કહે છે.
હીરાબા : પણ સહી કરી એ.
દાદાશ્રી : રૂપિયા આપ્યા ?
હીરાબા : ના. હોવે આપે. સહી કરી આપી.
૩૨૩
દાદાશ્રી : એમ ? પણ શું લખાવ્યું તે જાણો છો પેલા વકીલને ? હીરાબા : એ નહીં જાણું, બા.
દાદાશ્રી : વકીલે પૂછ્યું કે આ કોની મિલકત છે ?
હીરાબા : ત્યારે તેમણે શું કહ્યું ? કહે, મારી ?
દાદાશ્રી : ‘હીરાબાની. હીરાબા, અમારા દિયર અને મારી. અમારા ત્રણ જણની આ મિલકત છે' કહે છે. અને તમે કહો છો કે ‘એમને કશું કહો નહીં.’
હીરાબા : એ બદલાવાના છે હવે ?
દાદાશ્રી : ના, પણ ત્રીજો ભાગ આપવો પડશે ?
હીરાબા : એ તો આપવો જ પડશે. એ તો તમારી ભોજાઈ છે તે આપવો જ પડે ને !
દાદાશ્રી : તમે પહેલેથી કહ્યું હોય તો હું એમની જોડે વઢત નહીં ને ! એ તો તમે એમ કહેતા હતા, ‘આટલી મિલકત મારી.' ત્યારે મેં કહ્યું, ‘હા, તમારી.’ ત્યારે હું એમને વઢત જ નહીં ને !
હીરાબા : ના, એ મિલકત તો તમારી હતી ને પૈસા આપ્યા હતા તમે, બારસે-તેરસો.