________________
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
૩૨૧
વાળવાના. હીરાબા કહે, “ના બાપ, નર્યો પંજો વાળ વાળ કરવો પડે. વધારે રૂમ આપણે શું કરવા છે ? પૂછો તો મારે વાળવાનોને ? નોકરબોકર રાખવાનું મને ગમતું નથી. અમારા બેના મત એક જાતના. બેઉ કરકસરિયા ! કસર કરીને દહાડા કાઢવાના. અને બહાર બધાને આપી દે. નોબલ ખરા ! મોટા મનના હીરાબાયે.
રીસ રાખે નહીં એટલા માટે અવળું ચઢાવે પ્રશ્નકર્તા : દાદા, હીરાબા તો મોટા મનના ને !
દાદાશ્રી : હીરાબાને તો અમારા ભાભી ૧૯૪૨ની સાલમાં કહેતા'તા, ‘તમે મારી જોડે બદલો લેશો ? મેં તમારી જોડે ખરાબ વર્તન રાખ્યું છે, તેનો બદલો લેશો ?” ત્યારે હીરાબા કહે છે, “ના બા, મારે તો તમે જેઠાણી.”
પ્રશ્નકર્તા: એ તો એકદમ સુંવાળા, બહુ સુંવાળા ! બા તો આવું કશું જ ના કરે.
દાદાશ્રી : હા.. તે પછી મારા મનમાં શું કે કંઈ રીસ રાખે નહીં એટલા હારુ હું અવળું ચડાવું, ‘આટલું આટલું તમને પજવ્યા છે તોય તમે એમને કશું પજવતા નથી ?” “હં.. નહીં પજવવાનું, એવું નહીં પજવવાનું.” એવું કહે છે. મેં કહ્યું, “આટલું આટલું પજવ્યા છે, એ હું જાણું.” શું ?
પ્રશ્નકર્તા : તે માપ કાઢવા ને, દાદા.
દાદાશ્રી : એમના મોઢે આ “ના” કહેવડાવી મજબૂત કરાવડાવું. બાકી ખાનદાની કહેવાય, અસલ ખાનદાની કહેવાય. બાકી એમને ભાભીએ બહુ પજવેલા.
પ્રશ્નકર્તા : અસલ ખાનદાની કહેવાય એને.
દાદાશ્રી : ઊલટો હું એમને વઢું ને, આ મેં કહ્યું, ‘તમને પહેલા દુઃખ દીધેલું ને, એમણે.” ત્યારે કહે, “છો દીધું, પણ એમને કશું નહીં