________________
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
૩૨ ૫
જઈને ખર્ચો હઉ કરી આવતા હતા. મંદિરમાં એમને હજાર-પંદરસોનો, બે હજારનો ખર્ચ કરવો હોય ને... એ કહે, “મારે જમાડવા છે તો અમે ત્યાં જઈને જમાડી આવતા હતા કારણ કે યોગિણી જેવી બઈ તો, પછી આ શું ? મારે ને એમને વેર હશે કે આમની જોડે હશે. આ અમારું વેર હશે તે વેર વાળ્યું એમણે. એમાં શું ખોટું કર્યું? કંઈક હશે પૂર્વનું ત્યારે ને ? ભાઈ એવા નહોતા. આમને (હીરાબાને) તો પડીકામાં ખવડાવવું પડતું હતું બાને. શું કરવાનું ? તમે કહી નહીં દીધું, એટલું સારું છે, આબરૂ રાખી છે.
હીરાબા : તે આબરૂ તો રાખવી જ પડે ને, ઘરની.
દાદાશ્રી : ત્યારે હું આવું નહીં કહી દઉં હવે. ખોટું દેખાય ને બહાર.
હીરાબા ઃ બધું જાણીએ, પણ હવે શું કરીએ ?
દાદાશ્રી : બાકી યોગિણી જેવી, બીજા અવતાર બગડશે એ વાતમાં માલ નહીં. હીરાબા : એ નહીં બગડે. એ તો એવી નથી.
ભગવાત તો હવે થયા નીરુમા : પણ દાદા તો ભગવાન થઈ ગયા ને, બા ? હીરાબા ઃ તે ભગવાન હવે થયા. ત્યારે કંઈ થયા હતા ભગવાન ? નીરુમા : એ તો પછી જ થાય ને ! હીરાબા : હં.. ત્યારે કંઈ થયા.
દાદાશ્રી : કંઈ ભૂલો તો થઈ હશે ને ? કેટલા વર્ષથી, ભૂલ તો ના થાય ?
નીરુમા : એ તો થાય ને, દાદા. દાદાશ્રી : પણ હમણના થોડા વર્ષથી ડાહ્યા દેખાય છે, નહીં ?