________________
૩૨ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
કરવાનું. મારી ઈચ્છા પેલી કે સારી રીતે આ ભાભીને રહેવા દે. એટલે મારી ઈચ્છાને પૂરણી આપે પછી.
પોતે પાપ વહોરીતે પણ હીરાબાનું સુધારે મારી ઈચ્છા એવી કે હીરાબા ભાભીની જોડે સારા રહે તો સારું. કારણ કે પેલું વેર ના રાખે ને ! પણ વેર રાખ્યું નથી કોઈ દહાડોય. મારી ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ. રખાતું હશે વેર તો ? લોક તો ગમે તે કરે, પણ નથી રાખ્યું કોઈ દહાડો. નોબલ !
મારે જોઈતું હોય કે એ ભાભીને કશું કહે નહીં, પાછલું વેર વાળે નહીં, એવી મારી ઈચ્છા હોય ને ! તે હું દાણો દાબી જોઉં. એટલે હું એમને વઢું એટલે આ ઉપરાણું લે, એટલે હું જાણું કે હા, બરાબર છે. આપણે જોઈતી દિશામાં છે અને જોઈતી દિશામાં ના થતું હોય તોય હું વઢું એટલે તે એ બાજુ જ ફરી જાય. શાથી? આ દયાળુ સ્વભાવ ! વઢે એટલે કઈ દિશામાં ફરી જાય પેલા ? જ્યાં આપણે ફેરવવા હોય ત્યાં. એટલે હું બનાવટી વટું, પણ એ મને કહેવાની ના કહે, ‘તમારે કશું કહેવું નહીં એમને.”
પ્રશ્નકર્તા: હવે સમજાયું દાદા, હીરાબાએ તમને કેમ ભગવાન તરીકે છેવટે સ્વીકાર્યા, કારણ કે તમે જાતે તપ કરીને પણ એમનું કેમ કરીને આત્યંતિક કલ્યાણ થાય એના માટે જબરજસ્ત ખટપટ કરી છે.
(દાદા-હીરાબા સાથે વાતો
વઢીને સવળા ફેરવે દાદાશ્રી : દિવાળીબાને કશો પૈસા-બૈસાનો લોભ નહીં ને ! હીરાબા : અરે, લોભ તો ખરો હજુ. દાદાશ્રી : એમ ! હજુય છે ?
હીરાબા : હા.