________________
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
થોડુંક પેલું જાય નહીં. ‘ચાર વાગે ઊઠીને કૃષ્ણનું નામ દઉ છું' કહે છે. તે એમણે (નીરુબેને હીરાબાને) કહ્યું, ‘દાદા ભગવાન...!' તો એ કહે છે, ‘એય ભગવાન, પણ આ અમારું તે અમારું.’
આપણી સમજણ ઠોકી બેસાડવાની નથી
નીરુમા : દાદા, રોજ એમને કહીએ છીએ કે ‘બા, દાદા જ કૃષ્ણ નહીં ? આ જાતે જ છે કૃષ્ણ.’ તો કહે, ‘ના, એ નહીં, મારા તો પેલા કૃષ્ણ.’
૩૧૮
દાદાશ્રી : એમની સમજણ પર આપણી સમજણ ઠોકી બેસાડવાની
નથી. એમની છે એ કરેક્ટ. આ આપણુંયે એનું એ છે અને પેલુંયે એનું એ છે. બધા કાગળિયાં જ ને ! કોઈ સુંવાળા કાગળ કે કોઈ છે તે પેપરના કાગળ. ગ્રાફ પેપર હોય ને પેલો પેપર હોય, પણ છેવટે તો કાગળિયાંને !
પ્રશ્નકર્તા : પણ આ વાસ્તવિક સમજણ ખરી ને ! આ તો વાસ્તવિકતા છે ને, આ સમજણ પાછળ !
દાદાશ્રી : શી વાસ્તવિકતા ?
પ્રશ્નકર્તા : આપ જે કહો છો.
દાદાશ્રી : ના, આનંદ શી રીતે થાય એ અમારો ધર્મ. બીજું બધું આ લોકવ્યવહારમાં શું કહેશે, એ અમારે કશું જોવાનું નહીં. લોકવ્યવહારમાં તો બધું કહેતા જ આવ્યા છે ને, ક્યાં નથી કહેતા ? કે ‘આવા છે, તેવા છે’, ના કહે ? સારું કહીએ તોય ઊંધું કહે છે ઘણા લોક તો. નથી કહેતા ? કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : કહે, કહે.
છેવટે માન્યું ‘દાદા' જ ભગવાત
દાદાશ્રી : પછી હીરાબા મને કહે છે, ‘તમે ભગવાન શાના ?’ મેં કહ્યું, ‘હા, બરાબર છે. તમારી વાત સાચી છે.’