________________
૩૧૬
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
ખબર પડેલી પણ એનું મહત્વ નહીં તે પ્રશ્નકર્તા : આપ નિરંતર આનંદમાં જ હતા. પણ આમ ઘરે હીરાબા કે કોઈએ તરત જાણેલું કે અમુક સમય ગયા પછી ખબર પડેલી આ જ્ઞાનપ્રાપ્તિ થયેલી છે ?
દાદાશ્રી : વાર જ ના લાગે ને ! ફેરફાર થઈ ગયો હતો ને ! પ્રશ્નકર્તા : હીરાબાને ક્યારે ખબર પડેલી ?
દાદાશ્રી: હીરાબાનેય સાધારણ ખબર પડેલી પણ હીરાબાને આનું મહત્વ એટલું બધું નહીં. એ જાણે કે “શુંયે જ્ઞાન થયું છે ! આપણને કામ શું ?” કહે.
પ્રશ્નકર્તા : એટલું લેવલ નહીં એટલે ને, દાદા ?
દાદાશ્રી: એ તો બહુ એ તૈયાર નહીં ને ! પછી ધીમે ધીમે ધીમે એમને અનુભવ વધતો જાય. આપણે એવું કહીને આમ જરૂરેય નહીં ને !
પ્રશ્નકર્તા : હં, વ્યવહાર નહીં આપનો એટલે... પણ પછી તો નિરંતર પરમાનંદ સ્થિતિ થઈ ગઈ આપની ?
દાદાશ્રી : ના, વ્યવહાર બહુ સુંદર હતો ને ! બહુ સુંદર, વ્યવહાર ફક્કડ. આમાં અંદર જાગૃતિ રહે ને વ્યવહાર પણ સરસ, વ્યવહાર સારો.
હીરાબાને પણ દબાણ નહીં પ્રશ્નકર્તા : દાદા, આ જે વ્યવહારની બધી આવડત, એ બધી તમારામાં પહેલેથી ?
દાદાશ્રી: એ વ્યવહારની આવડત બહુ સારી. બહુ સારી સૂઝ પડે. તેથી “અંબાલાલભાઈ કહે ને, નહીં તો કોઈ કહેતું હશે કે ? છ અક્ષર તે કોઈ બોલતું હશે ? આમ ચાર અક્ષરેય બોલતા અઘરા પડે છે લોકોને.
પ્રશ્નકર્તા : તે એવું હીરાબાને પણ ખબર પડી ગયેલી કે સંસારમાં સુખો જ નથી એમ ?