________________
[૧૮] હીરાબાએ પણ સ્વીકાર્યા ભગવાન તરીકે
પહેલા સમજણ વગર લીધેલું જ્ઞાત
અમારે વ્યવહાર આદર્શ હોય. બાકી ટોપ ક્લાસ (ઉચ્ચ કક્ષાનો) એવો વ્યવહાર ના હોય માણસને ! અત્યારેય જોડે રહીએ છીએ. એ પંચોતેર વર્ષના ને હું સિત્યોતેર વર્ષનો. બેઉ નિરાંતે જોડે રહે છે, ડોસો ને ડોસી બેઉ ! એમણેય આ મોક્ષે જવાનું જ્ઞાન લીધેલું મારી પાસે. ‘મારેય મોક્ષે જવું છે’ કહે છે.
પ્રશ્નકર્તા : હીરાબાને જ્ઞાન ક્યારે આપેલું, દાદા ?
દાદાશ્રી : બહુ વર્ષો થયા, એમને ક્યારે લીધેલું એવું યાદેય ના હોય. પ્રશ્નકર્તા : એમને આપની પાસે માગવું પડ્યું હશે ને કે મને જ્ઞાન જોઈએ ?
દાદાશ્રી : ના, ના, બધાએ કહ્યું કે ‘હીરાબા આ જ્ઞાનમાં બેસી જાઓ.’ ત્યારે કહે, ‘સારું.’ આમ માગે એવા માણસ નહોય. કહે, ‘મારે શું દુઃખ છે તે ?” તે એના જેવું, તે સમજાવી-પટાવીને બેસાડ્યા એમને.
પ્રશ્નકર્તા : એમ ?
દાદાશ્રી : હા, અને લોકોને જ્ઞાન શું છે એય ખબર નહોતી તે
દહાડે.