________________
[૧૭] વિષય બંધ થયા પછી મતભેદ બંધ
૩૧૩
ઋષિમુનિ અને ઋષિપત્નીનો જેવો સંસાર વ્યવહાર હતો એવું હોવું જોઈએ, એમ આપ કહેવા માગો છો ને ?
દાદાશ્રી : હા, એવું રહેવાનો પ્રયત્ન તો કરો. પછી જેટલું લીકેજ થાય એ તો ડિફરન્ટ વાત છે. પણ એ ધ્યેય તો નક્કી કરવો જ જોઈએ ને ? ના કરવો જોઈએ ? દાદાને જુઓ, ઓગણત્રીસ વર્ષથી (જ્ઞાન થયું ત્યારથી) નિરંતર સમાધિ, ચોવીસેય કલાક સમાધિ રહે છે ! દાદાજી કેવા સુખમાં વર્તે છે !
પ્રશ્નકર્તા: દાદા, પણ આ જે વસ્તુઓ થાય, એ આપણે વિચાર્જ કહી શકીએ ? કારણ કે મનમાં તો એવી ભાવના હોતી નથી, પણ થઈ જતું હોય તો શું કરવું ?
દાદાશ્રી : હા, પણ એ જ કહે છે ને થઈ જવું, તો કૂવામાં કેમ પડી જતો નથી ? અંદરખાને પોતાની ઈચ્છા હોય છે. સમજ પડીને ? એટલે એ પદ્ધતસર હોય, ન્યાયપૂર્વક.
આ હવે તો સમજ પડીને ? આ હવે અમારે અને હીરાબાને કેટલાય વર્ષથી સંબંધ સ્ત્રી-પુરુષ જેવો નથી. એટલે અમારો વ્યવહાર, હવે “હીરાબા' કહીને બોલાવું છું. તે પચાસ હજાર માણસો બધા એમને હીરાબા, હીરાબા' કર્યા કરે ને !
શોભા વધે એવી રીત અમે જ્ઞાની થયા પછી તો એમને “હીરાબા' કહીએ છીએ. કારણ કે મોટા વડીલ, લોક પૂજ્ય ગણે. મારી જોડે બેસાડીને લોક એમનીય પૂજા કરે છે. માટે અમે મર્યાદામાં રહીએ. હીરાબાને “હીરાબા” કહીએ, ભાભીને “દિવાળીબા’ કહીએ. અરે, ભત્રીજા વહુનેય “કાશીબા' કહીએ. મોટી ઉંમરનો પુરુષ હોય તેને “તું” કહીએ પણ સ્ત્રી નાની હોય તોય તેને માનથી બોલાવીએ. સ્ત્રી એ તો લક્ષ્મી છે.
જ્ઞાન પહેલા અમારું કઠણ ખાતું હતું. પછી પણ નરમ, જ્ઞાન થયા પછી બિલકુલ નરમ. પછી તો આ બધાને, સવિતાને “સવિતાબા