________________
૩૧ ૨
જ્ઞાની પુરુષ (ભાગ-૨)
વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો.
હીરાબા સાથે સમાધાન કરી, કર્યો વિષય બંધ
પ્રશ્નકર્તા: હીરાબા સાથે વાતચીત થઈ હતી વિષય બંધ કરવા માટે ?
દાદાશ્રી: હું પિસ્તાલીસ વર્ષનો હતો ત્યારથી હીરાબા જોડે બ્રહ્મચર્ય અંગે વાતચીત કરી નાખેલી. હીરાબા કહે છે, “મને બહુ ગમે છે એ.” બહુ સારુ, કહીએ. એ તો સમાધાન કર કર કરવું પડે ને, આપણે ભેગો વેપાર માંડ્યો છે એટલે. સહિયારો વેપાર કર્યો પછી એમનું સમાધાન કરવું પડે. ના સમાધાન હોય તો સમજણ પાડીએ એમને કે આમાં શું ફાયદો છે ? અને વિષય વખતે ફોટો લે તો સારો દેખાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી: ખાનદાન દેખાય પછી ? મને તો એ ચાલીસ-પિસ્તાલીસ વર્ષથી દેખાયા કરે આમ. આ તો હું કહું ત્યારે તમને દેખાયો, મને તો એમ ને એમ દેખાયા કરે, કે કેવું દેખાતું હશે આ બધું ? આવું જ દેખાય ને ? આ બધું બહુ ખુલ્લું કરવાની જરૂર નહીં પણ આ તો સમજી લેવાનું છે, ઈન શોર્ટ (ટૂંકમાં). ના સમજી ગયા ? છતાંય છૂટકો નથી. તે અમે શું કહ્યું છે કે નાછૂટકે આ મીઠી દવા પીજો. દવા મીઠી છે. નાછૂટકે, બન્નેને તાવ ચડ્યો હોય તો. નહીં તો પીશો નહીં બહુ. નિકાલ તો કરવો પડશે ને બધાનો ? ઝઘડો ઊભો રાખીએ એ ચાલે નહીં. નિકાલ તો કરવો જ પડે. સમજણ પડી ? એ ગાંઠથી જ બંધાયેલું છે ને, બીજું શું બંધાયેલું છે આ ? એની જ આ બધી ઉપાધિ કરવી પડે છે ને ! મારે હીરાબા પાસે સમાધાન થયા પછી અમારે બેઉને કેટલી બધી શાંતિ રહેવા માંડી ને ! પહેલા અમથો અમથોય કકળાટ થયા કરે. એ પછી વાસણ ખખડે.
પ્રશ્નકર્તા : આદર્શ જીવન જીવવું હોય તો આપે જે કહેલું કે