________________
[૧૭] વિષય બંધ થયા પછી મતભેદ બંધ
પત્નીને વિનયથી સંબોધે “હીરાબા' પ્રશ્નકર્તા : દાદા, એક ગાંધીજી એમના પત્નીને “બા” કહેતા હતા ને આપ પણ “હીરાબા” કહો છો, તો એની પાછળ શું રહસ્ય
દાદાશ્રી : અમદાવાદના પત્રકારોએ પૂછયું કે “અત્યારે પણ તમારા વાઈફ જોડે તમારો વ્યવહાર કેવો છે ? લ્યો, લાવો’ કહો છે ?” મેં કહ્યું, “ના, હું એમને “હીરાબા' કહું છું. ‘લ્યો, લાવો’ કહું એવો માણસ નથી. એ આવડા મોટા ઈકોતેર વર્ષના, હું તોતેર વર્ષનો, એમને “લ્યો, લાવો’ કહેવાતું હશે ?”
પ્રશ્નકર્તા: એમને પહેલેથી જ “હીરાબા' તરીકે સંબોધતા ?
દાદાશ્રી : હીરાબા તો અમે અમુક ઉંમર થયા પછી બોલીએ છીએ. પહેલા કંઈ આવું બોલતા હતા ? પણ હવે ખોટું દેખાય ને ? બહાર એમને ‘તું કંઈ ગઈ હતી” એવું બોલાતું હશે ? આ આવડા મોટા હોય, કહેવાય એવું ?
પ્રશ્નકર્તા : ના કહેવાય. દાદાશ્રી : હવે બીજા લોક તો એમેય કહે, “ગૌરાંગની મા કંઈ