________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને - ‘તમારા વગર ગમતું નથી’
પ્રશ્નકર્તા : હા, હા દાદા, બરાબર.
દાદાશ્રી : માટે એમના માટેય ભાવ સુંદર જ રાખવાનો. એ ફાઈલો છે.
પ્રશ્નકર્તા : મોટામાં મોટી ફાઈલ.
દાદાશ્રી : હં...
પ્રશ્નકર્તા : ન ગમતું હોય તો ગમાડીને વિવેકમાં જ રહેવાનું.
દાદાશ્રી : ના ગમતું તો હોય નહીં. ના ગમતું હોય તો એ કોને ના ગમે ? ચંદુભાઈને ના ગમે, તેમાં આપણે શું લેવાદેવા ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. ચંદુભાઈની જ વાત છે.
૩૦૯
દાદાશ્રી : હા... ના ગમતા જેવું હોય શું ? બહારવાળા જોડેય ના ગમતું ઊડાડી દીધું આપણે. તો આ તો પ્રૉમિસ કરેલું આપણે.
***