________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી”
૩૦૭
ના હો તો મારે મોક્ષમાર્ગ સારી રીતે થાય, એવું નહીં બોલવાનું. ‘તમારા વગર ગમતું નથી”, કહીએ. શું કહેવાનું ?
પ્રશ્નકર્તા : તમારા વગર ગમતું નથી.
દાદાશ્રી : હા. અમેય હીરાબાને કહીએ, ‘તમારા વગર ગમતું નથી અમને, બહાર ફરીએ છીએ તોય. એટલે ખુશ.
કપટથી નહીં, વિવેક તે સાચો પ્રેમ છે મહીં પ્રશ્નકર્તા ઃ આવું બોલવું એ કપટ ના કહેવાય ?
દાદાશ્રી : કપટથી કહીએ નહીં. આપણે એમ કહીએ છીએ કે તમારા લીધે મારો મોક્ષ બગડી જાય છે, એ કપટથી કહીએ છીએ ? આય કપટથી નથી. આ વાણી બોલતા આવડી એને. વિવેક કરતા આવડ્યો.
પ્રશ્નકર્તા : દાદા, કામેટિક, નાટકીય.
દાદાશ્રી : સાવ નાટકીય નહીં. વિવેક, સાચો પ્રેમ છે અંદર, ભાવ છે, કારણ કે આત્મદૃષ્ટિએ એમની ઉપર પ્રેમ છે. બહારના જોડે આપણને લેવાદેવા નથી. આત્મદષ્ટિએ એમની ઉપર ભાવ છે આપણને. અને વિવેક, આ ભવમાં સોદો કર્યો છે, પૂરો તો કરવો જ પડે ને ! બહારના માગતાવાળાને આપણે વિવેકથી બોલાવીએ છીએ, “આવો, પધારો, બેસો, ન ગમતા હોય તોય. નથી વિવેક કરતા ?
પ્રશ્નકર્તા : હા, હા, એ બરાબર છે.
દાદાશ્રી : એવું વિવેક. કંઈ કપટ-બપટ આપણામાં હોય જ નહીં ને ! કપટ તો કેવું હોય ?
પ્રશ્નકર્તા ઃ તો બહારના સાથે પ્રામેટિક હોય ?
દાદાશ્રી: નહીં, એ ડ્રામેટિક અને આ એના આત્મા સાથે પ્રેમમય. અને પાછલો હિસાબ ચૂકતે કરવાનો છે. હીરાબા જોડે જરાય કપટ તો હોય નહીં ને ! એ પોતે સમજી જાય કે “ના, સાચું બોલે છે.”