________________
[૧૬.૨] દાદા કહેતા હીરાબાને – ‘તમારા વગર ગમતું નથી
૩૦૫
ચઢી બેસે, એવી બધી મનમાં શંકાઓ ના કરવી. આ શંકાઓને લીધે ટસલ ઉપર ચઢ્યા જ કરે છે ને ! નિરંતર દુઃખમાં જ રહ્યા કરે છે, કોલ્ડ વૉરમાં. હવે કોલ્ડ વૉર કરવાની શી જરૂર છે તમારે ?
અને ચઢી બેસે ત્યારે આપણે છે તે સમજવાનું, કે આ બોલ બોલ કરે તે ઘડીએ આપણે કેટલું ગ્રહણ કરવું ને કેટલું નહીં ! એટલે પછી એ પોતે થાકીને શાંત થઈ જાય ને મનમાં સમજી જાય કે આના પેટમાં પાણી હાલતું નથી, મારું બોલેલું નકામું જાય છે. ફરી બોલવાનું બંધ કરી દેશે. આપણે કહેવાથી બંધ નહીં કરાય. પેટમાં પાણી ના હાલે એટલે આખી દુનિયા કબજે થઈ જાય !
પંદર દહાડા આપણી સામા બોલ્યા હોય, તે એક દહાડો આપણે પાછા સ્વરૂપમાં આવી જાવ તો ચૂપ થઈ જાય બધું. મૂછો હોય તેમાં બહુ ફેર, નહીં ?
પ્રશ્નકર્તા : ફેર ખરો.
દાદાશ્રી : તે એવું બધું મનમાં કકળાટ નહીં રાખવાનો, પ્રેમથી જ જોવું બધું. બે જાતનો પ્રેમ રાખવો, એક શુદ્ધાત્મા ભાવે પ્રેમ રાખવો અને બીજો આસક્તિ ભાવનો. આસક્તિ ભાવનો રિલેટિવ અને શુદ્ધાત્મા ભાવનો રિયલ.
દાદા ખરા ગૃહસ્થી, પણ વીતરાગ ઘરમાં બેસવાનું ગમે નહીં તોય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એમ કહે કે તમારા વગર મને ગમતું નથી, તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છે ને, તો મોક્ષે જવાશે.
પ્રશ્નકર્તા: અમે ગૃહસ્થી, તો પછી અમને મોક્ષ કેવી રીતના મળે?
દાદાશ્રી : નહોય તે ગૃહસ્થી. ગૃહસ્થી શાના તમે ? તમે ગૃહસ્થી છો ? ગૃહસ્થી તો કેવો હોય છે ?
પ્રશ્નકર્તા : અમે ઓછી જવાબદારીવાળા ગૃહસ્થી છીએ.